News Continuous Bureau | Mumbai
Anupamaa : ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકપ્રિય સ્ટાર્સ તેમની ફિલ્મો અને વેબ સિરીઝના પ્રચાર માટે ટીવી શોમાં આવતા રહે છે. તાજેતરમાં જ બોલિવૂડ અભિનેત્રી કાજોલ સ્ટાર પ્લસની સુપરહિટ ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાને સપોર્ટ કરતી જોવા મળી હતી. પ્રોમોમાં કાજોલ અક્ષરાના પુત્ર અભીરની કસ્ટડી કેસમાં મદદ કરતી જોવા મળે છે. આ શોમાં કાજોલ સ્પેશિયલ અપિયરન્સમાં જોવા મળી હતી. તે ‘ધ ટ્રાયલ’માંથી નયોનિકા સેનગુપ્તા તરીકે શોમાં અક્ષરા સાથે જોડાય છે. હવે કાજોલ અનુપમા સાથે વાતચીત કરતી બતાવવામાં આવી છે.
નયોનિકા એ કરી અનુપમા સાથે વાતચીત
રાજન શાહી દ્વારા નિર્મિત ‘અનુપમા‘ ટીઆરપી લિસ્ટમાં પોતાનું સ્થાન જાળવી રહી છે. ચાહકોને આ શોની સ્ટાર કાસ્ટ અને સ્ટોરી ખૂબ જ પસંદ આવી રહી છે. આ સિરિયલને લોકોનો અપાર પ્રેમ મળી રહ્યો છે. આ શોમાં સંબંધોનો અર્થ સમજાવવામાં આવ્યો છે, જે લોકો વાસ્તવિક જીવનમાં પણ અનુભવે છે. સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ પછી હવે કાજોલ અનુપમા સાથે ફોન પર વાત કરતી જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે રૂપાલી ઉર્ફે અનુપમા કાજોલને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે અને તેને કેક સાથે તેની સેલ્ફી મોકલવાનું કહે છે. આ વીડિયોમાં બંને તેમના ઓન સ્ક્રીન કેરેક્ટરમાં જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચો: SBI YONO: હવે SBIમાં બિન ખાતાધારકો પણ SBI YONO દ્વારા UPI પેમેન્ટ કરી શકશે, જાણો શું છે પ્રક્રિયા..
View this post on Instagram
ધ ટ્રાયલ માં નયોનિકા નું પાત્ર ભજવી રહી છે કાજોલ
કાજોલની વેબ સિરીઝ ‘ધ ટ્રાયલ’ રિલીઝ થઈ ગઈ છે. આ શ્રેણીમાં નયોનિકા સેનગુપ્તાની વાર્તા બતાવવામાં આવી છે. કાજોલે વેબ સિરીઝમાં વકીલની ભૂમિકા ભજવી છે. ‘ધ ટ્રાયલ’ પહેલા તે ‘લસ્ટ સ્ટોરી 2’માં જોવા મળી હતી. હવે ટૂંક સમયમાં જ કૃતિ સેનનના પ્રોડક્શનની ‘દો પત્તી’માં જોવા મળશે.