News Continuous Bureau | Mumbai
Anupama Twist: ટીવી શો ‘અનુપમા’ માં ફરી એક નવા પાત્રની એન્ટ્રી થવાની છે. રૂપાલી ગાંગુલી અભિનિત આ શોમાં પંડિત મનોહર શાસ્ત્રીના પાત્ર દ્વારા નવી દિશા મળશે. મુંબઇમાં રસોઈ બનાવીને જીવન જીવતી અનુપમા ની જિંદગીમાં હવે નવા વળાંકો આવશે.
આ સમાચાર પણ વાંચો : Mohsin Khan: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ના કાર્તિક એટલે કે મોહસિન ખાનના લગ્નની અફવાઓ પર એક્ટરે આપ્યો આવો જવાબ, લોકો ની થઇ બોલતી બંધ
નવા પાત્ર ‘સુભાષ’થી આવશે તોફાન
મીડિયા રિપોર્ટ મુજબ શોમાં હવે ભારતીના પૂર્વ પતિ સુભાષની એન્ટ્રી થવાની છે. જ્યારે તે અનુપમા ની સામે આવશે ત્યારે તેની સ્થિતિ મુશ્કેલ બની જશે. અનુપમા ફરી એકવાર ભારતી નો સાથ આપશે અને બતાવશે કે તે માત્ર એક સામાન્ય સ્ત્રી નથી, પણ અમદાવાદની એવી દીકરી છે, જે દરેકને સબક શીખવી શકે છે.
Anupama’s fresh start in Mumbai hits a storm! While Manohar’s kindness gives her hope, a shocking face from the past—Subhash—returns, stirring pain and powerful emotions. #Anupamaa #IndiaForumshttps://t.co/gtCpFwcyiJ
— India Forums (@indiaforums) June 18, 2025
પંડિત મનોહર શાસ્ત્રીના પાત્રમાં અનુપમા ને હંસમુખ શાહની છબી દેખાય છે. તેમની પોઝિટિવિટી અને ખુશમિજાજ સ્વભાવથી અનુપમા પણ તેમના સાથે હળીમળી ગઈ છે. હવે પંડિતજી તેને ફરી ડાન્સ ની દુનિયામાં લાવવાનો પ્રયાસ કરશે, જેનાથી તે ફરી એકવાર પોતાની પુત્રી સામે આવી શકે છે.મુંબઇમાં મિસેસ પંવાર અને પંડિત મનોહર સાથે કામ કરતી અનુપમા ની જિંદગીમાં હવે પ્રેમ અને રાહી જેવા જૂના સંબંધો ફરીથી પ્રવેશી રહ્યા છે. રાહી સાથેની મુલાકાતે ફેન્સને નિરાશ કર્યા હતા, કારણ કે રાહીએ પોતાની માતાને સ્પષ્ટ કહ્યું કે તે તેના પરિવારથી દૂર રહેવા માંગે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)