Site icon News Continuous Bureau | Mumbai

કેમ સલમાનની જેમ સફળ ન થયા તેના બન્ને ભાઈ અરબાઝ અને સોહેલ? અરબાઝ ખાન ના શો માં પિતા સલીમ ખાને કર્યો ખુલાસો

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન પોતાના ફેન્સમાં હંમેશા ચર્ચામાં રહે છે. તેના ચાહકો સલમાનની ફિલ્મોથી લઈને તેના જીવન સુધી બધું જ જાણે છે, પરંતુ સલમાનના પિતા અને હિન્દી સિનેમાના દિગ્ગજ લેખક સલીમ ખાન હંમેશા પોતાને લાઈમલાઈટથી દૂર રાખે છે. તાજેતરમાં, સલીમ ખાનના પુત્ર અરબાઝ ખાને તેના શોમાં તેના પિતાના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા.

arbaaz khan show actor ask salim khan we are not successful as salman khan see his fathers reaction

કેમ સલમાનની જેમ સફળ ન થયા તેના બન્ને ભાઈ અરબાઝ અને સોહેલ? અરબાઝ ખાન ના શો માં પિતા સલીમ ખાને કર્યો ખુલાસો

News Continuous Bureau | Mumbai

અરબાઝ ખાન તેનો નવો હોસ્ટિંગ શો ‘ધ ઈન્વિન્સીબલ્સ’ લઈને આવ્યો છે. અરબાઝ ખાન હોસ્ટિંગની દુનિયામાં ઘણું નામ કમાઈ રહ્યો છે. હાલમાં જ તેના પિતા સલીમ ખાન તેના શોમાં ગેસ્ટ તરીકે આવ્યા હતા. આ શોમાં પિતા-પુત્ર બંને ખૂબ એન્જોય કરતા જોવા મળ્યા હતા. શોના તાજેતરના એપિસોડમાં, સલીમ ખાને તેમના જીવન અને પુત્રો વિશે રસપ્રદ તથ્યો જાહેર કર્યા, જેના વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે.

Join Our WhatsApp Channel

 

અરબાઝ ખાને સલીમ ખાન ને પૂછ્યો આવો સવાલ 

શોમાં અરબાઝ તેના પિતાના લગ્ન અને જીવનના સંઘર્ષ વિશે વાત કરતો જોવા મળ્યો હતો. વાતચીત દરમિયાન અરબાઝે તેના પિતાને એવો સવાલ પૂછ્યો, જેની કોઈએ અપેક્ષા પણ નહીં કરી હોય. અરબાઝે તેના પિતાને પૂછ્યું, ‘સલમાન ખાન દુનિયાની નજરમાં સૌથી મોટો સ્ટાર છે અને તેણે જીવનમાં ઘણું બધું મેળવ્યું છે. તેની સરખામણીમાં મારા સહિત તમારા બાકીના બાળકો એટલા સફળ કેમ નથી? સલીમ ખાને તેના પુત્રના આ પ્રશ્નનો તરત જ જવાબ આપ્યો અને કહ્યું, ‘જ્યારે હું તેની મહેનત જોઉં છું, ત્યારે મને લાગે છે કે તે પણ શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે. તેઓ તેમના કામમાં સખત મહેનત પણ કરે છે. હું પોતે ખૂબ જ આશાવાદી છું. મહત્વની વાત એ છે કે તેઓ પોતાનો સમય બગાડતા નથી.

 

અરબાઝ ખાને સલીમ ખાન ને નિષ્ફળતા ને લઇ ને કર્યો સવાલ  

તમને જણાવી દઈએ કે આ વાતચીત દરમિયાન અરબાઝે તેના પિતાને નિષ્ફળતાને સંભાળવા વિશે પણ પૂછ્યું હતું. આના જવાબમાં સલીમ ખાને કહ્યું, ‘નિષ્ફળતાને સંભાળવી સરળ છે, બસ વિચારવાનું એ છે કે તેમાંથી કેવી રીતે બહાર આવવું.’ પોતાની વાત આગળ વધારતા સલીમ ખાને કહ્યું, ‘સફળતા લોકોના માથા પર ચડી જાય છે. હોલીવુડના એક લોકપ્રિય દિગ્દર્શકે કહ્યું છે કે, ‘નિષ્ફળતા કરતાં સફળતા વધુ લોકોને મારી નાખે છે.’

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version