News Continuous Bureau | Mumbai
Karan Tejasswi Wedding: કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી હિટ કપલમાંથી એક છે. ‘બિગ બોસ ૧૫’ થી શરૂ થયેલી આ લવ સ્ટોરીને હવે ૫ વર્ષ પૂરા થયા છે. ચાહકો હવે આ જોડીને લગ્નના બંધનમાં બંધાતી જોવા માંગે છે. આ દરમિયાન, પ્રિન્સ નરુલાના એક નિવેદને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.
આ સમાચાર પણ વાંચો : Salman Khan: લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાને હવે સલમાન ખાનના સંબંધી! કરોડોની ખંડણી માંગતા મુંબઈ પોલીસ એક્શનમાં, જાણો કોને મળી ધમકી?
પ્રિન્સ નરુલાએ આપીહિન્ટ
એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રિન્સ નરુલાએ કરણ અને તેજસ્વીના લગ્ન વિશે વાત કરતા કહ્યું કે, “તેઓ એક શો પછી લગ્ન કરશે. એક કમિટમેન્ટ છે તે પૂરી થયા પછી.” જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેઓ કોઈ શો પર લગ્ન કરવાના છે? ત્યારે પ્રિન્સે રહસ્યમય રીતે જવાબ આપ્યો, “ખબર નથી, કદાચ થઈ શકે છે.” પ્રિન્સની આ વાત સાંભળીને ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે આ કપલ ટૂંક સમયમાં જ કોઈ મોટી જાહેરાત કરી શકે છે.
View this post on Instagram
લગ્નની અટકળો વચ્ચે વધુ એક સારા સમાચાર એ છે કે તેજસ્વી પ્રકાશ હવે OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે ‘દેશી બ્લિંગ’ નામના શોમાં જોવા મળશે અને ખાસ વાત એ છે કે આ શોમાં તેની સાથે કરણ કુંદ્રા પણ હશે. તેજસ્વીનું કહેવું છે કે કરણ રિયાલિટી શોમાં એક્સપર્ટ છે, તેથી તે તેની પાસેથી ઘણું શીખે છે. કરણ પણ આ પ્રોજેક્ટમાં તેજસ્વીની ઘણી મદદ કરી રહ્યો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)