મલાઈકા સાથે ઉંમરના અંતરને લઈને ટ્રોલ થવા પર અર્જુન કપૂરે લીધી ટ્રોલર્સ ની ક્લાસ, આપ્યો આ જવાબ; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 જાન્યુઆરી 2022

મંગળવાર

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચે ઉંમરનું અંતર છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સ અવારનવાર આને લઈને ટ્રોલ થાય છે. બંને વચ્ચે ઉંમરનું અંતર લગભગ 12 વર્ષ હોવાનું કહેવાય છે. અર્જુને આખરે આ મામલે ટિપ્પણી કરનારાઓને જવાબ આપ્યો છે. અર્જુન કપૂર કે મલાઈકા આ બાબતો વિશે વિચારે કે ન વિચારે તેનાથી શું ફરક પડે છે? આવા સવાલો પર અર્જુને ખુલીને વાત કરી છે.

અર્જુન કપૂરે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે મીડિયા આવા લોકોની ટિપ્પણીઓ જુએ છે અને વાંચે છે, અમે તેમાંથી 90 ટકા ટિપ્પણીઓ જોતા નથી. ટ્રોલિંગને એટલું મહત્વ ન આપી શકાય કારણ કે તે બધું જ નકલી છે. આ વિશે બહુ વિચારવાની જરૂર નથી. અર્જુને એક વાત સ્પષ્ટ કરી છે કે તેને ટ્રોલ કરનારાઓથી તેને બહુ ફરક નથી પડતો. કદાચ મલાઈકા પણ આનાથી બહુ પ્રભાવિત નથી.સાથે જ મલાઈકાએ એમ પણ કહ્યું કે અમારા સંબંધોને આ પ્રકારની નકારાત્મકતાથી કોઈ ફરક પડતો નથી. એટલું જ નહીં, અર્જુને આવી માનસિકતા ધરાવતા લોકો પર કહ્યું કે, આ ટ્રોલર્સને મળ્યા પછી, તેઓ મારી સાથે સેલ્ફી લેવા માટે તરત આવશે.

મિતાલી રાજ સિવાય આ વર્ષે વધુ એક ભારતીય મહિલા ક્રિકેટરની બાયોપિક બનશે, આ અભિનેત્રી ભજવશે મુખ્ય ભૂમિકા; જાણો વિગત

તમને જણાવી દઈએ કે, અર્જુનની ઉંમર 36 વર્ષ છે, જ્યારે મલાઈકાની ઉંમર 48 વર્ષ છે. આ હિસાબે બંને વચ્ચે 12 વર્ષનું અંતર છે. બંનેએ લાંબા સમય સુધી ગુપ્ત રીતે એકબીજાને ડેટ કર્યા હતા.આ પછી બંનેએ તેમના સંબંધોને સત્તાવાર કરી દીધા. જો કે વચ્ચે વચ્ચે તેમના લગ્નના સમાચાર આવતા રહે છે. પરંતુ હજુ સુધી કપલ્સે લગ્ન વિશે કોઈ માહિતી આપી નથી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More