વર્ષો પછી અરુણા ઈરાની એ લગ્નેતર સંબંધો પર વ્યક્ત કર્યું પોતાનું દર્દ , પતિ ના અફેર ને લઇ ને કરી આવી વાત

અરુણા ઈરાની કહે છે કે પરિણીત પુરુષ સાથે લગ્ન કરવું બિલકુલ સરળ નથી.

by Zalak Parikh
aruna irani talks about her personal life extra marital affair her marriage

News Continuous Bureau | Mumbai

અરુણા ઈરાની બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક રહી છે. તેણે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં પોતાના અભિનયની છાપ છોડી છે. એક્ટિંગ સિવાય અભિનેત્રી પોતાની અંગત જિંદગીને કારણે પણ ચર્ચામાં રહી હતી. જણાવી દઈએ કે અરુણા ઈરાનીએ ફિલ્મ મેકર કુકુ કોહલી સાથે લગ્ન કર્યા હતા, જેઓ પહેલાથી જ પરિણીત હતા. હાલમાં જ અરુણા તેના લગ્ન જીવન વિશે વાત કરતી જોવા મળી હતી. તે કહે છે કે પરિણીત પુરુષ સાથે લગ્ન કરવું બિલકુલ સરળ નથી. તાજેતરની વાતચીતમાં, અરુણા ઈરાનીનું દર્દ તેના જીવનના સંઘર્ષો પર છવાઈ ગયું.. આવો જાણીએ…

 

અરુણા ઈરાની એ આપ્યું હેમા માલિની અને ધર્મેન્દ્ર નું ઉદાહરણ 

હાલમાં જ મીડિયાસાથેની વાતચીતમાં અરુણા ઈરાનીએ કહ્યું હતું કે, ‘ઘણીવાર પરિણીત પુરુષ સાથે અફેર અથવા લગ્ન કર્યા પછી, તે પુરુષની પત્ની ફક્ત તે જ મહિલાઓને દોષી ઠેરવે છે જેની સાથે તે સંબંધમાં છે. જ્યારે પતિએ વફાદાર રહેવાનું વચન આપ્યું હતું. જો તે વચન તોડે તો ફરિયાદ તેની પાસે હોવી જોઈએ. અરુણા ઈરાનીએ વધુમાં કહ્યું કે, ‘પત્નીઓ હંમેશા અન્ય મહિલાઓને દોષ આપે છે. પણ, વિચારો! પત્નીને ખુશ રાખવાની જવાબદારી પતિની છે. કોઈની પત્નીને ખુશ રાખવાની જવાબદારી સ્ત્રીની નથી. પતિનું અફેર હોય તો પહેલા પતિને દોષ આપો, તેણે આવું કેમ કર્યું? આ માટે પતિને મનાઈ કરો.અરુણા ઈરાનીએ વધુમાં કહ્યું કે, ‘મેં ઘર તોડવાના ઈરાદાથી કોઈ અફેર નથી કર્યું.’ વાતચીત દરમિયાન અરુણા ઈરાનીએ હેમા માલિનીનું ઉદાહરણ આપ્યું. તેણે કહ્યું, ‘જો હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યાં તો તે કોઈનું ઘર તોડવા માગતી ન હતી.’ અરુણાએ વધુમાં કહ્યું, ‘લગ્નમાં કોઈ સુરક્ષા નથી. પ્રેમમાં જ સલામતી છે. લગ્ન માત્ર કાગળનો ટુકડો છે જેના કારણે તમે કહી શકો કે તે મારા પતિ છે. તે મારી પત્ની છે. નહિંતર, લગ્નનું કોઈ મૂલ્ય નથી. જ્યાં પ્રેમ સમાપ્ત થાય છે, ત્યાં લગ્ન સમાપ્ત થાય છે.

 

અરુણા ઈરાની એ બીજા લગ્ન વિશે કરી વાત 

અરુણા ઈરાનીએ વધુમાં જણાવ્યું હતું કે, પરિણીત પુરુષ સાથે લગ્ન કરવું બિલકુલ સરળ નથી. ઉદાહરણ તરીકે, જો રાત્રે મારા બાળકને કંઈક થાય, તો હું મારા પતિને ફોન કરી શકતી નથી. તેથી જ મેં ક્યારેય બાળકની ઈચ્છા નહોતી કરી. હું જાણતી હતી  કે હું મારા બાળકને તે દુઃખ ક્યારેય નહીં આપી શકું. ગત વર્ષે એક ઈન્ટરવ્યુ દરમિયાન અરુણા ઈરાનીએ કહ્યું હતું કે કુકુ પરિણીત છે અને તેના બાળકો છે તેની તેને જાણ નથી. જણાવી દઈએ કે કુકુ અને અરુણા ઈરાનીના લગ્ન 1990માં થયા હતા.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More