323
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 03/10/21
રવિવાર
શાહરૂખ ખાનના 'સુપુત્ર' આર્યન ખાન ને એક રાત જેલમાં રહેવું પડશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો ની અદાલતે આર્યન ખાન ને એક દિવસ ને કસ્ટડી ફટકારી છે. આર્યનના વકીલ સતીશ માને શિંદે એ કોર્ટમાં દલીલ કરી હતી કે આર્યનને રાહત આપવામાં આવે તેમ જ તેને બેલ આપવામાં આવે. પરંતુ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો ના વકીલની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે આર્યન સહિત ત્રણ લોકોને એક દિવસની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે આગામી ૨૪ કલાકમાં મેડિકલ રિપોર્ટ આવશે. ત્યારબાદ આ કેસમાં શું વણાંક આવે છે તે જોવું દિલચસ્પ રહેશે.
You Might Be Interested In