Parineeti and raghav wedding: ઉદયપુર માં લગ્ન કર્યા બાદ પરિણીતી અને રાઘવ કરશે એક નહીં પરંતુ બે રિસેપ્શન પાર્ટી નું આયોજન, જાણો કોણ કોણ આપશે હાજરી

Parineeti and raghav wedding: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા સાત જન્મો માટે એકબીજા ના થઇ ગયા છે. હવે ફેન્સ તેમના લગ્નની તસવીરો ની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન કપલ ની એક તસ્વીર સામે આવી હતી જે તેમના લગ્ન બાદ ના રિસેપ્શન ની હતી. દરમિયાન હવે કપલના દિલ્હી અને મુંબઈ રિસેપ્શન ની પાર્ટી ના સમાચાર આવી રહ્યા છે.

by Zalak Parikh
as per media report parineeti and raghav organize two reception party in delhi and mumbai

News Continuous Bureau | Mumbai

Parineeti and raghav wedding: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્ન બાદ ની તેમની પહેલી તસવીર સામે આવી હતી જેમાં પરિણીતી પિંક સાડી માં અને રાઘવ બ્લેક એન્ડ વ્હાઇટ સૂટ માં જોવા મળ્યો હતો.આ તસવીર તેમના રિસેપ્શનની હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં તેમના ચાહકો જાણવા માંગે છે કે શું હવે રિસેપ્શન પાર્ટી નહીં હોય? આ અંગે કોઈ પણ સત્તાવાર માહિતી સામે આવી નથી પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર પરિણીતી રાઘવ ની બે રિસેપ્શન પાર્ટી થશે 

આ સમાચાર પણ વાંચો : Ishaan khatter: ચોરી પકડાઈ ગઈ! અનન્યા પાંડે સાથે ના બ્રેકઅપ બાદ આ યુવતી સાથે જોડાયું ઈશાન ખટ્ટર નું નામ, હાથ માં હાથ નાખી સાથે જોવા મળ્યું કપલ

પરિણીતી રાઘવ નું રિસેપ્શન 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના લગ્ન બાદ સાંજે ઉદયપુરમાં જ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્નમાં આવેલા તમામ મહેમાનોએ હાજરી આપી હતી. પરંતુ આ સિવાય હજુ રિસેપ્શન પાર્ટી યોજવાની બાકી છે, તે પણ કપલ એક નહીં પરંતુ બે રિસેપ્શન પાર્ટીઓનું આયોજન કરવા જઈ રહ્યું છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પરિણીતી-રાઘવ એક રિસેપ્શન પાર્ટી દિલ્હીમાં કરશે જ્યારે બીજી પાર્ટી મુંબઈમાં યોજાશે.મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં યોજાનારી રિસેપ્શન પાર્ટીમાં રાજકીય પરિવારની હસ્તીઓ હાજરી આપશે. તેમજ પરિણીતી મુંબઈમાં તેના ઈન્ડસ્ટ્રીના મિત્રો અને નજીકના લોકો માટે એક અલગ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવા જઈ રહી છે. આમાં ઘણી મોટી ફિલ્મી હસ્તીઓ ભાગ લેશે તેવી ચર્ચા ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે ઓનલાઈન વાઈરલ થયેલા તેમના લગ્નના કાર્ડ મુજબ, કપલ 30 સપ્ટેમ્બરે ચંદીગઢમાં પણ રિસેપ્શન યોજશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More