Site icon News Continuous Bureau | Mumbai

બ્રહ્માસ્ત્ર માં રણબીર કપૂરના જૂતાના સીન અંગે ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જીએ કરી સ્પષ્ટતા-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર (Brahmastra trailer)તાજેતરમાં જ રિલીઝ થયું છે. ટ્રેલરને સારો પ્રતિસાદ મળ્યો હતો. તેના VFX ની સરખામણી હોલીવુડ ફિલ્મો (Hollywood film)સાથે કરવામાં આવી રહી છે. જો કે, ટ્રેલર પછી, સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ એક દ્રશ્ય સામે વાંધો ઉઠાવ્યો જેમાં રણબીર કપૂર જૂતા પહેરીને ઘંટ(shoes scene) વગાડતો હતો. યુઝર્સે કહ્યું કે, તેમને પગરખાં લઈને મંદિર જતા બતાવવામાં આવ્યા છે, જેના કારણે તેમની લાગણીઓને ઠેસ પહોંચી છે. એટલું જ નહીં, ટ્રોલર્સે #boycottbrahmastra ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. હવે ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જીએ આ અંગે ખુલાસો કર્યો છે.

Join Our WhatsApp Channel

અયાન મુખર્જીએ(Ayan Mukerji) એક નિવેદન જાહેર કર્યું છે. તેણે કહ્યું કે રણબીર મંદિરમાં નથી પ્રવેશતો પરંતુ તે દુર્ગા પૂજા પંડાલ (durga puja pandal)છે. અયાન કહે છે, “ફિલ્મના દિગ્દર્શક અને એક ભક્ત તરીકે શું થઈ રહ્યું છે તે હું નમ્રતાપૂર્વક સંબોધવા માંગુ છું. અમારી ફિલ્મમાં રણબીર મંદિરમાં નહીં પરંતુ દુર્ગા પૂજા પંડાલમાં પ્રવેશી રહ્યો છે. મારો પરિવાર 75 વર્ષથી આવી દુર્ગા પૂજાની (Durga puja celebration)ઉજવણીનું આયોજન કરે છે, જેનો હું બાળપણથી જ ભાગ રહ્યો છું.અયાન મુખર્જીએ વધુમાં કહ્યું, 'મારા અનુભવ પરથી, અમે સ્ટેજ પર દેવી સામે  જતા પહેલા અમારા ચંપલ ઉતારીએ છીએ, પંડાલમાં પણ પ્રવેશતા નથી. મારા માટે અંગત રીતે એ મહત્વનું છે કે હું આ તસવીરથી દુઃખી થયેલા દરેક લોકો સુધી પહોંચી શકું… કારણ કે બધા થી ઉપર, બ્રહ્માસ્ત્ર એક એવી ફિલ્મ છે જે ભારતીય સંસ્કૃતિ,(Indian culture) પરંપરાઓ અને ઈતિહાસનું સન્માન અને ઉજવણી કરે છે. આ જ કારણ છે કે મેં આ ફિલ્મ બનાવી છે. મારા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ લાગણી દરેક ભારતીય(Indian) સુધી પહોંચે જે બ્રહ્માસ્ત્ર જોઈ રહ્યા છે.’

આ સમાચાર પણ વાંચો : 44 વર્ષ પહેલા અમિતાભ બચ્ચન ની આ ફિલ્મ જોવા માટે થિયેટરમાં ઉમડી હતી ભારે ભીડ-એડવાન્સ બુકિંગ માટે લાગી હતી લાંબી લાઈન

તમને જણાવી દઈએ કે બ્રહ્માસ્ત્રમાં (Brahmastra)અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રાયની પણ મહત્વની ભૂમિકા છે. તેનું નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન (Dharma production)દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 11 સપ્ટેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version