News Continuous Bureau | Mumbai
Aasif Sheikh Health Update:ટેલિવિઝન જગતની લોકપ્રિય સીરિયલ ભાભીજી ઘર પર હૈ માં વિભૂતિ નારાયણ મિશ્રાનું પાત્ર ભજવનારા અભિનેતા આસિફ શેખ તાજેતરમાં ગંભીર આરોગ્ય સમસ્યાઓનો શિકાર બન્યા છે. સિરિયલ ના શૂટિંગ દરમિયાન તેમની તબિયત ખૂબ જ ખરાબ થઇ ગઈ હતી, જે પછી તેમને તરત જ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.હવે અભિનેતા એ પોતે પોતાનું હેલ્થ અપડેટ આપ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Jaya bachchan: કુણાલ કામરાના સમર્થનમાં આવી જયા બચ્ચન! એકનાથ શિંદે પર કટાક્ષ પર આપી અભિનેત્રી એ પોતાની પ્રતિક્રિયા
આસિફ શેખ એ આપ્યું હેલ્થ અપડેટ
એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન આઈફા શેખ એ જણાવ્યું કે, ‘મારા શૂટિંગનો બીજો દિવસ હતો. મેં હેવી પેઇનકિલર્સ લીધી અને કેટલાક દ્રશ્યો શૂટ કર્યા. હું ઊભો રહી શકતો ન હતો કે ચાલી પણ શકતો ન હતો. પછી હું મુંબઈ પાછો આવ્યો, તે પણ વ્હીલચેર પર. હું હાલમાં પેઇનકિલર્સ અને સ્ટેરોઇડ્સ લઈ રહ્યો છું અને મારો MRI કરાવવાનો સમય છે. મુંબઈ આવ્યો ત્યારથી હું હાલમાં બેડ રેસ્ટ પર છું. હું હજુ પણ જમીન પર ઊભો રહી શકતો નથી. હું હજુ પણ લંગડાવું છું.’
View this post on Instagram
ટીવી અને ફિલ્મ જગતના લાંબા સમયથી જાણીતા આસિફ શેખ એ તેમના કારકિર્દી માટે ‘હસીના માન જાયેગી’ અને ‘યસ બોસ’ જેવા અનેક શોમાં કામ કર્યું છે. તેમણે આઉટસ્ટેન્ડિંગ ફિલ્મો અને સિરીઝમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)