શ્રીદેવીનો એવો ફેન જે શ્રીદેવીને પોતાની પત્ની માને છે અને આજીવન અવિવાહિત રહ્યો. જાણો અનોખી વાર્તા.

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

25 ફેબ્રુઆરી 2021

મધ્યપ્રદેશના શ્યોની થી 10 કિલોમીટર દૂર દાદુની ગામમાં રહેતા ઓમ પ્રકાશ એ ગત સપ્તાહે શ્રીદેવીની ત્રીજી વરસી નું આયોજન કર્યું. તેના આ કાર્યક્રમમાં તમામ ગ્રામજનો આવ્યા હતા તેમ જ લોકો તેને સાંત્વના પણ આપી રહ્યા હતા.

વાત એમ છે કે ઓમ પ્રકાશ હાલ ૫૭ વર્ષના છે અને તેઓ પૂર્ણ રીતે અવિવાહિત છે. તેણે લગ્ન એટલે નથી કર્યા કારણ કે તે મનથી શ્રીદેવીને પરણી ચૂક્યો છે. જ્યારે શ્રીદેવી નું નિધન થયું હતું ત્યારે તેને શ્રાદ્ધ સહિતના કારજ-પાણી પણ કર્યા હતા. તેનું એવું માનવું છે કે ભલે શારિરીક રીતે શ્રીદેવીએ તેની સાથે લગ્ન ન કર્યા પરંતુ શ્રીદેવી તેને આવતા જન્મમાં જરૂર મળશે. આટલું જ નહીં ત્યાં આગામી સાત વર્ષ સુધી શ્રીદેવીના પતિ સ્વરૂપે જીવવા માંગે છે.

ઓમ પ્રકાશ ની આ વાત ગામમાં રહેલા સર્વે કોઈ જાણે છે. જોકે ઓમ પ્રકાશ પોતાના જીવનમાં કદી પણ શ્રીદેવીને મળી શક્યો નથી.

આવો ચાહક ક્યારેક જ જોવા મળે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More