News Continuous Bureau | Mumbai
Rakhi Sawant: બોલીવૂડ અભિનેત્રી રાખી સાવંત અને તેના પૂર્વ પતિ આદિલ દુર્રાની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે હલ થઈ ગયો છે. બોમ્બે હાઈકોર્ટ એ બંને પક્ષોની પરસ્પર સહમતિને ધ્યાનમાં રાખીને તેમની વચ્ચેની FIR અને ચાર્જશીટ રદ કરી દીધી છે.
આ સમાચાર પણ વાંચો : Ajay Devgn Net Worth: બૉલીવુડનો મલ્ટી-મિલિયનર છે અજય દેવગન, ફિલ્મો ઉપરાંત અહીં થી પણ કરે છે કરોડોની કમાણી
કોર્ટમાં હાજર રહ્યા બંને, કોઈ વાંધો નહીં
ન્યાયમૂર્તિ ની બેન્ચે જણાવ્યું કે “જ્યારે બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ ગઈ છે, ત્યારે FIR ને લંબાવવાની જરૂર નથી.” રાખી અને આદિલ બંને કોર્ટમાં હાજર રહ્યા અને FIR રદ કરવા માટે કોઈ વાંધો ન હોવાનું જણાવ્યું. આ નિર્ણયથી રાખી અને આદિલ વચ્ચેનો કાયદાકીય વિવાદ હવે પૂર્ણ થયો છે. બંનેએ કોર્ટમાં શાંતિપૂર્ણ રીતે સમજૂતી કરી અને આગળ વધવાનો નિર્ણય લીધો છે..
View this post on Instagram
રાખી સાવંતે આદિલ પર ધમકી, શારીરિક અને માનસિક પીડા તેમજ અનૈતિક સંબંધોનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ, આદિલે રાખી પર તેમના અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપવાનો આરોપ મૂક્યો હતો. બંનેએ 2022માં ઇસ્લામિક રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા અને 2023માં અલગ થયા હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)