શું અમિતાભના બંગલા ‘પ્રતિક્ષા’ પર ચાલશે BMCનું બુલડોઝર? હાઈકોર્ટે આપ્યો આ આદેશ; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022        

ગુરુવાર

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પોતાની પ્રોપર્ટી બચાવવા માટે બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યા છે. BMC અને અમિતાભ બચ્ચન તેમના પાંચ બંગલામાંથી એક 'પ્રતિક્ષા'ને લઈને લાંબા સમયથી વિવાદમાં છે. BMC સંત જ્ઞાનેશ્વર માર્ગને પહોળો કરવા માટે તેમના બંગલાની દિવાલ તોડી પાડવાની વાત કરી રહી છે. જેના માટે અમિતાભે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

અમિતાભ બચ્ચનને રાહત આપતા હાઈકોર્ટે BMC સમક્ષ તેમનો કેસ રજૂ કરવા માટે 3 અઠવાડિયાનો સમય આપ્યો છે. આ સાથે જ BMCને નિર્ધારિત સમયની વચ્ચે અભિનેતાના બંગલા પર કોઈપણ કાર્યવાહી કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે BMCને આ મામલે વિચાર કરવા અને અમિતાભ બચ્ચન સાથે વાત કરવા કહ્યું છે. હાલમાં આ અંગે BMC તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.નોંધનીય છે કે અમિતાભ બચ્ચનનો આ બંગલો એ રોડ પર છે જેને BMC દ્વારા પહોળો કરવામાં આવી રહ્યો છે. આ રસ્તો પ્રતિક્ષા થઈને ઈસ્કોન મંદિર તરફ જાય છે.હાલમાં આ રોડની પહોળાઈ 45 ફૂટ છે, જેને BMC વધારીને 60 ફૂટ કરવા માંગે છે. જેના કારણે BMC દ્વારા અમિતાભને તેના બંગલા ની દિવાલ તોડવાની નોટિસ આપવામાં આવી છે.

અનુપમા ના જન્મદિવસ પર આવી રહ્યો છે મોટો ટ્વિસ્ટ, બદલાઈ જશે ઘણી જિંદગી; જાણો અનુપમા ના આવનાર એપિસોડ વિશે

તમને જણાવી દઈએ કે આ જ વિસ્તારમાં અમિતાભના અન્ય ત્રણ બંગલા પણ છે. અમિતાભના મુંબઈમાં કુલ પાંચ બંગલા છે. પ્રતિક્ષા તેના પરિવારે ખરીદેલો બંગલો છે. જે તેના દિલની ખૂબ નજીક છે. 70ના દાયકામાં અમિતાભ આ બંગલામાં શિફ્ટ થયા હતા. હાલમાં તે પોતાના પરિવાર સાથે જલસામાં રહે છે. જે બે માળનો આલીશાન બંગલો છે. અમિતાભનો ત્રીજો બંગલો 'જનક' છે, જેને તેમણે પોતાની ફિલ્મ કંપની સરસ્વતી પિક્ચર્સની ઓફિસ બનાવી છે. તેમનો ચોથો બંગલો 'વત્સ' છે અને તેમની પાંચમી મિલકત જલસા પાસે હોવાનું કહેવાય છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More