News Continuous Bureau | Mumbai
દેશભરમાં ઉભા થયેલા તમામ વિવાદો વચ્ચે બહુચર્ચિત ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. હવે ‘ધ કેરળ સ્ટોરી’ વિશે એક મોટું અપડેટ આવ્યું છે. મધ્યપ્રદેશમાં ફિલ્મને કરમુક્ત બનાવવા માટે ભાજપના રાજ્ય મંત્રી એ સીએમ શિવરાજ સિંહ ચૌહાણને પત્ર લખીને માંગ કરી હતી. જે બાદ આજે મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે એમપીમાં ‘ધ કેરળ સ્ટોરી’ને ટેક્સ ફ્રી કરી દીધી છે. ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ માં કેરળની છોકરીઓની વાર્તા દર્શાવવામાં આવી છે, જેમને બળજબરીથી ઈસ્લામ સ્વીકારી અને બાદમાં સીરિયા મોકલવામાં આવી હતી.
મધ્યપ્રદેશના સીએમ એ ધ કેરળ સ્ટોરી ફિલ્મ ને કરી ટેક્સ ફ્રી
મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, ‘આ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ લવ જેહાદ, ધર્માંતરણ અને આતંકવાદના ષડયંત્રનો પર્દાફાશ કરે છે અને તેનો ઘૃણાસ્પદ ચહેરો બહાર લાવે છે. આ ફિલ્મ જણાવે છે કે લાગણીના કારણે લવ જેહાદની જાળમાં ફસાઈ ગયેલી દીકરીઓ કેવી રીતે વેડફાઈ જાય છે. આ ફિલ્મ આતંકવાદની રચનાને પણ ઉજાગર કરે છે અને આપણને જાગૃત કરે છે. મધ્યપ્રદેશમાં, અમે પહેલાથી જ ધર્મ પરિવર્તન વિરુદ્ધ કાયદો ઘડ્યો છે. દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોવી જોઈએ, છોકરાઓએ પણ જોવી જોઈએ, બાળકોએ પણ જોવી જોઈએ, દીકરીઓએ પણ જોવી જોઈએ અને તેથી મધ્યપ્રદેશ સરકાર આ ફિલ્મને ટેક્સ ફ્રી બનાવી રહી છે.
आतंकवाद की भयावह सच्चाई को उजागर करती फिल्म 'The Kerala Story' मध्यप्रदेश में टैक्स फ्री की जा रही है। pic.twitter.com/l5oizjqK7j
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) May 6, 2023
‘ધ કેરળ સ્ટોરી’ નું બોક્સ ઓફિસ કલેક્શન
સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત, ‘ધ કેરળ સ્ટોરી’ કેરળની 32,000 મહિલાઓની વાર્તા દર્શાવે છે જેમને ઇસ્લામ સ્વીકારવા અને ISISમાં જોડાવાની ફરજ પાડવામાં આવી હતી. ફિલ્મે ઓપનિંગ ડે પર શાનદાર કલેક્શન કરીને તેના ખાતામાં 8 કરોડ જમા કર્યા છે. ફિલ્મના પહેલા દિવસના કલેક્શનને જોતા લાગે છે કે આ ફિલ્મ વધુ કમાણી કરવાના મામલે રેકોર્ડ બનાવી શકે છે.