દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મમાં કેટલી છે ‘ગહેરાઈયા’? જાણો મૂવી નો રીવ્યુ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022          

શનિવાર

બોલિવૂડમાં આવી ઘણી ફિલ્મો બની છે જેમાં નિર્માતાઓ દ્વારા બેવફાઈના રંગોને સુંદર રીતે દર્શકો સામે મૂકવામાં આવ્યા છે. ભારતીય સિનેમાના 60થી 90ના દાયકાના સુવર્ણકાળ દરમિયાન આવી ઘણી ફિલ્મો રિલીઝ થઈ હતી. જે આજ સુધી દર્શકોના મન પર પોતાની છાપ છોડે છે. ગુમરાહ, સંગમ, સિલસિલા, અર્થથી લમ્હે સુધી અને પછી શાહરૂખ ખાન, પ્રીતિ ઝિન્ટા, રાની મુખર્જી અને અભિષેક બચ્ચન અભિનીત કભી અલવિદા ના કહેના, આ તમામ ફિલ્મોએ દર્શકો સમક્ષ બેવફાઈની વાર્તાઓ સુંદર રીતે રજૂ કરી હતી.નિર્દેશક શકુન બત્રાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગહેરાઈયા’ પણ આ યાદીમાં જોડાઈ છે. એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થયેલી  દીપિકા પાદુકોણ, અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અભિનીત ફિલ્મ ‘ગહેરાઈયા’  કેવી છે? અને તે આ બધી ફિલ્મોથી કેટલી અલગ? ચાલો જાણીએ

અલીશા (દીપિકા પાદુકોણ) અને કરણ (ધૈર્ય કારવા) વર્ષો પછી ટિયા (અનન્યા પાંડે)ને મળે છે. બંનેનો પરિવાર વર્ષો પહેલા અલગ થઈ ગયો હતો. આ પછી અલીશા તરત જ ટિયાના બોયફ્રેન્ડ ઝૈન (સિદ્ધાંત ચતુર્વેદી)ને જોઈને પીગળી જાય છે. જે બાદ સ્થિતિ બગડવા લાગે છે.‘ગહેરાઈયા’નું કેમેરા વર્ક શાનદાર છે. જેને કૌશલ શાહે ખૂબ જ ગંભીરતાથી સાંભળ્યું છે. ફિલ્મનું દિગ્દર્શન, લેખન પણ દિગ્દર્શક શકુન બત્રાએ પૂરા દિલથી કર્યું છે. જેના કારણે ફિલ્મ ટેકનિકલ મોરચે મજબૂત બને છે. દીપિકા પાદુકોણે ચોક્કસપણે તેની કારકિર્દીમાં શાનદાર પ્રદર્શન આપ્યું છે. સાથે જ અનન્યા પાંડેએ પણ પોતાની ભૂમિકા સખત મહેનતથી ભજવી છે. જ્યારે સિદ્ધાંત ચતુર્વેદીએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ફરી એકવાર લોકો ને પ્રભાવિત કર્યા છે.આ ઉપરાંત, ફિલ્મની મુખ્ય મુખ્ય સ્ટારકાસ્ટને સપોર્ટિંગ સ્ટારકાસ્ટ ધૈર્ય કારવા, રજત કપૂર અને નસીરુદ્દીન શાહ જેવા મજબૂત સ્ટાર્સ દ્વારા મજબૂત સમર્થન આપવામાં આવ્યું છે. સારી વાત એ છે કે ફિલ્મના દિગ્દર્શક શકુન બત્રા, તેના સહ-લેખકો આયેશા દેવીત્રે, સુમિત રોય, યશ સહાયે આ મુશ્કેલ વાર્તાને ખૂબ જ પરિપક્વતા સાથે સંભાળી છે. જે દર્શકોને 2 કલાક 20 મિનિટ સુધી ફિલ્મ સાથે બાંધવામાં સફળ રહે છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર શાનદાર છે. જે તેને યાદગાર બનાવે છે.

બોલિવૂડ ના દિગ્ગ્જ કલાકાર અમોલ પાલેકર પુણેની હોસ્પિટલમાં દાખલ,તેમના સ્વાસ્થ્ય ને લઇ ને પત્નીએ કહી આ વાત; જાણો વિગત

ફિલ્મની વાર્તાનો મુખ્ય મુદ્દો તેની પાછળનું કારણ છે. અલીશા વિશે વાત કરીએ તો કારણો સમજી શકાય એવા છે. પરંતુ ઝૈને ટિયાને છોડી ને અલીશા ની પાછળ પાડવાનું કોઈ કારણ સ્પષ્ટ નથી. જે ફક્ત ક્રશ જેવો દેખાય છે. જેના કારણે ટિયા નબળી દેખાય છે. આ સમયે એવું લાગે છે કે બેવફાઈને બિનજરૂરી રીતે વર્ણવામાં  આવી છે.જ્યારે દિગ્દર્શક આ વાત સમજે છે, ત્યારે તે વધુ ભૂલો કરે છે, જેના કારણે ફિલ્મ પરની પકડ ઢીલી પડવા લાગે છે. ઝૈન ફિલ્મના બેડ બોય અથવા વિલન તરીકે ઉભરવા લાગે છે. જેના કારણે ફિલ્મ તેના મુદ્દા પરથી ભટકી જતી હોય તેવું લાગી રહ્યું છે. જો આ ભૂલો ટાળી શકાઈ હોત તો આ ફિલ્મ વધુ સારી બની હોત.સિદ્ધાંત ચતુર્વેદીના પાત્રમાં થયેલી ભૂલોને બાદ કરતાં ફિલ્મ ઉંડાણપૂર્વક જોવા જેવી છે. આ એક પરિપક્વ સંબંધની વાર્તા છે. જેને દિગ્દર્શક અને લેખકોએ ખૂબ જ ગંભીરતાથી બનાવી  છે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More