Site icon

છૂટાછેડા પછી પણ ધનુષ અને ઐશ્વર્યા નથી છોડી રહ્યા એકબીજાનો સાથ, આ કારણ આવ્યું સામે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Community

 સોમવાર 

સાઉથ ફિલ્મોનો સુપરહિટ એક્ટર ધનુષ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં છે. હાલમાં જ તે તેની પત્ની ઐશ્વર્યાથી અલગ થઈ ગયો છે. આ અલગ થવાને કારણે ધનુષ અને ઐશ્વર્યા છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે.ધનુષ અને ઐશ્વર્યાએ આ રીતે 18 વર્ષ ના લગ્ન જીવન ના અંત ની જાહેરાત થી  બધા દંગ રહી ગયા. ધનુષે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ફેન્સને તેના અલગ થવાની માહિતી આપી હતી. દરમિયાન, હવે એવા અહેવાલો છે કે ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંત એક જ હોટલમાં રોકાયા છે.

હાલમાં જ એક મીડિયા હાઉસે એક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે પૂર્વ કપલ ધનુષ અને ઐશ્વર્યા હાલમાં હૈદરાબાદની એક હોટલમાં સાથે રહે છે. આ રિપોર્ટ અનુસાર હૈદરાબાદના રામોજી રાવ સ્ટુડિયોમાં 'સ્ટાર હોટેલ' છે અને બંને આ હોટલમાં રોકાયા છે.જોકે બંને અલગ-અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને તે સંબંધમાં હોટલમાં રોકાયા છે. તમને જણાવી દઈએ કે, આ એક એવી હોટલ છે જ્યાં રામોજી રાવ સ્ટુડિયોમાં શૂટિંગ કરનાર મોટાભાગની હસ્તીઓ રોકાય છે.તમને જણાવી દઈએ કે, ધનુષ પોતાના કામના સંબંધમાં આ હોટલમાં રોકાઈ રહ્યો છે અને ઐશ્વર્યા તેના એક ગીતના કારણે ત્યાં રોકાઈ રહી છે. એવા અહેવાલો છે કે ધનુષ અને ઐશ્વર્યાને જાણ નથી કે બંને એક જ હોટલમાં રોકાયા છે. તે જ સમયે, બંને વચ્ચે કોઈ વાતચીત થઈ છે કે કેમ તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

અનુપમા ફેમ સમરે તેની લવ લાઈફ વિશે કર્યા રસપ્રદ ખુલાસા! કરી ચુક્યો છે ઉર્ફી જાવેદને ડેટ; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે, ધનુષ અને ઐશ્વર્યાએ વર્ષ 2004માં લગ્ન કર્યા હતા. આ લગ્નથી બંનેને બે પુત્રો પણ છે, જેમના  નામ યાત્રા અને લિંગા  છે. ધનુષ અને ઐશ્વર્યાના લગ્ન  ને 18 વર્ષ થયા અને 18 વર્ષ પછી બંને અલગ થઈ ગયા. તે જ સમયે, અભિનેતાના પિતાએ કહ્યું હતું કે તેઓ બંને પારિવારિક ઝઘડાને કારણે અલગ થયા છે.

O Romeo OTT Release: OTT પર રાજ કરવા તૈયાર છે શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’: એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે ઓનલાઈન
Thalapathy Vijay Divorce Case: શું વિજય અને સંગીતાના ૨૭ વર્ષના લગ્નજીવનનો અંત આવશે? ₹૨૫૦ કરોડની ઓફર સાથે મામલો થાળે પાડવાનો પ્રયાસ; ફેન્સમાં ભારે ચર્ચા.
Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Exit mobile version