Site icon News Continuous Bureau | Mumbai

છૂટાછેડા પછી પણ ધનુષ અને ઐશ્વર્યા નથી છોડી રહ્યા એકબીજાનો સાથ, આ કારણ આવ્યું સામે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Channel

 સોમવાર 

સાઉથ ફિલ્મોનો સુપરહિટ એક્ટર ધનુષ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં છે. હાલમાં જ તે તેની પત્ની ઐશ્વર્યાથી અલગ થઈ ગયો છે. આ અલગ થવાને કારણે ધનુષ અને ઐશ્વર્યા છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે.ધનુષ અને ઐશ્વર્યાએ આ રીતે 18 વર્ષ ના લગ્ન જીવન ના અંત ની જાહેરાત થી  બધા દંગ રહી ગયા. ધનુષે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ફેન્સને તેના અલગ થવાની માહિતી આપી હતી. દરમિયાન, હવે એવા અહેવાલો છે કે ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંત એક જ હોટલમાં રોકાયા છે.

હાલમાં જ એક મીડિયા હાઉસે એક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે પૂર્વ કપલ ધનુષ અને ઐશ્વર્યા હાલમાં હૈદરાબાદની એક હોટલમાં સાથે રહે છે. આ રિપોર્ટ અનુસાર હૈદરાબાદના રામોજી રાવ સ્ટુડિયોમાં 'સ્ટાર હોટેલ' છે અને બંને આ હોટલમાં રોકાયા છે.જોકે બંને અલગ-અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને તે સંબંધમાં હોટલમાં રોકાયા છે. તમને જણાવી દઈએ કે, આ એક એવી હોટલ છે જ્યાં રામોજી રાવ સ્ટુડિયોમાં શૂટિંગ કરનાર મોટાભાગની હસ્તીઓ રોકાય છે.તમને જણાવી દઈએ કે, ધનુષ પોતાના કામના સંબંધમાં આ હોટલમાં રોકાઈ રહ્યો છે અને ઐશ્વર્યા તેના એક ગીતના કારણે ત્યાં રોકાઈ રહી છે. એવા અહેવાલો છે કે ધનુષ અને ઐશ્વર્યાને જાણ નથી કે બંને એક જ હોટલમાં રોકાયા છે. તે જ સમયે, બંને વચ્ચે કોઈ વાતચીત થઈ છે કે કેમ તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

અનુપમા ફેમ સમરે તેની લવ લાઈફ વિશે કર્યા રસપ્રદ ખુલાસા! કરી ચુક્યો છે ઉર્ફી જાવેદને ડેટ; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે, ધનુષ અને ઐશ્વર્યાએ વર્ષ 2004માં લગ્ન કર્યા હતા. આ લગ્નથી બંનેને બે પુત્રો પણ છે, જેમના  નામ યાત્રા અને લિંગા  છે. ધનુષ અને ઐશ્વર્યાના લગ્ન  ને 18 વર્ષ થયા અને 18 વર્ષ પછી બંને અલગ થઈ ગયા. તે જ સમયે, અભિનેતાના પિતાએ કહ્યું હતું કે તેઓ બંને પારિવારિક ઝઘડાને કારણે અલગ થયા છે.

SS Rajamouli’s Varanasi રાજામૌલીની ‘વારાણસી’માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ
Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Exit mobile version