Dhurandhar-Uri:The Surgical Strike Connection: ‘ધુરંધર’ અને ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’નું છે સીધું કનેક્શન! શું બીજા ભાગમાં રણવીર સિંહનું પાત્ર મરી જશે?

Dhurandhar-Uri:The Surgical Strike Connection: ડિરેક્ટર આદિત્ય ધરની નવી ફિલ્મ 'ધુરંધર' રિલીઝ થયાના બે દિવસમાં જ ચર્ચામાં છે. નેટીઝન્સ દાવો કરી રહ્યા છે કે આ ફિલ્મ આદિત્ય ધરની પહેલી ફિલ્મ 'ઉરી' સાથે જોડાયેલી છે અને કનેક્શનના કારણે રણવીર સિંહના પાત્રનું મૃત્યુ બીજા ભાગમાં થઈ શકે છે.

by Zalak Parikh
Dhurandhar Connection to Uri: The Surgical Strike, Will Ranveer Singh's Character Die in the Second Part

News Continuous Bureau | Mumbai

Dhurandhar-Uri:The Surgical Strike Connection: આદિત્ય ધરની નવી ફિલ્મ ‘ધુરંધર’ હાલમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મે શરૂઆતના બે દિવસમાં જ૫૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ પછી આદિત્ય ધરની આ બીજી ડિરેક્ટેડ ફિલ્મ છે. ‘ઉરી’ જ્યાં સાચી ઘટના પર આધારિત હતી, ત્યાં ‘ધુરંધર’ પણ કંધાર હાઇજેકથી લઈને સંસદ પર હુમલો, પાકિસ્તાન-બલૂચ વિવાદ અને ૨૬/૧૧ના આતંકવાદી હુમલા સુધીની અનેક સાચી ઘટનાઓથી પ્રેરિત છે. ‘ધુરંધર’ના અંતમાં જ મેકર્સે ફિલ્મના બીજા ભાગની પણ જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત પછી સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા શરૂ થઈ છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘ધુરંધર’ અને ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ એકબીજા સાથે જોડાયેલી છે. સાથે જ એવી પણ ચર્ચા છે કે રણવીર સિંહના પાત્રનું મૃત્યુ બીજા ભાગમાં થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar First Review: રણવીર સિંહની ‘ધુરંધર’નો પહેલો રિવ્યુ આઉટ! દર્શકોને મળશે સરપ્રાઇઝ

‘ધુરંધર’ અને ‘ઉરી’ વચ્ચેનું કનેક્શન એક વાયરલ ક્લિપ પર આધારિત

‘ઉરી’ અને ‘ધુરંધર’ વચ્ચેના કનેક્શનનો આધાર એક વાયરલ ક્લિપ છે, જે ‘ઉરી’ ફિલ્મની છે. ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં વિકી કૌશલનું પાત્ર વિહાન, ભારતીય વાયુ સેનાની પાયલટ ફ્લાઇટ લેફ્ટનન્ટ સીરત કૌરને મળે છે, જેના આર્મી ઓફિસર પતિ એક મિશનમાં શહીદ થઈ ચૂક્યા છે. વાયરલ ક્લિપમાં સીરત કૌરનું પાત્ર ભજવનારી કીર્તિ કુલ્હારી પોતાના શહીદ થયેલા આર્મી ઓફિસર પતિનું નામ જસકીરત સિંહ રંગી જણાવે છે, જે પંજાબ રેજિમેન્ટના હતા અને નૌશેરા સેક્ટરમાં હુમલામાં શહીદ થયા હતા.


આ કલીપ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર નેટીઝન્સનો એવો દાવો છે કે શહીદ આર્મી ઓફિસર જસકીરત સિંહ રંગી એ ‘ધુરંધર’નો રણવીર સિંહ જ છે. ‘ધુરંધર’માં રણવીર સિંહ પાકિસ્તાનના અંડરવર્લ્ડમાં ભારતના ઘૂસણખોર તરીકે હમઝા અલી મઝારીના નામથી રહે છે. જોકે, નેટીઝન્સનું માનવું છે કે બીજા ભાગમાં રણવીર સિંહ જ જસકીરત સિંહ રંગી સાબિત થશે.ફિલ્મ ‘ધુરંધર’માં રણવીર સિંહને ‘રો’ તરફથી ધુરંધર નામના મિશન પર મોકલવામાં આવ્યો છે. રણવીરના પાત્રને આજીવન કારાવાસની સજા હોવાના કારણે ઓપરેશન ધુરંધર માટે ઉપયોગમાં લેવાય છે. રણવીર સિંહના પાત્રની બેક સ્ટોરી ‘ધુરંધર’ના બીજા ભાગ ‘રિવન્જ’માં ખબર પડશે, જે ૧૯ માર્ચ, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જો નેટીઝન્સના દાવા પર વિશ્વાસ કરવામાં આવે તો બીજા ભાગમાં રણવીર સિંહના પાત્રનું મૃત્યુ થઈ જશે, કારણ કે જસકીરત સિંહ રંગીને ‘ઉરી’માં શહીદ બતાવવામાં આવ્યા છે. જોકે, આ બંને ફિલ્મોમાં ખરેખર કોઈ કનેક્શન છે કે નહીં, તે બીજા ભાગના રિલીઝ પછી જ સ્પષ્ટ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More