News Continuous Bureau | Mumbai
Disha Vakani Audition: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ભારતીય ટેલિવિઝનનું સૌથી લાંબા સમય સુધી ચાલતો શો છે. 2008થી શરૂ થયેલા આ શોને દર્શકોનો અપાર પ્રેમ મળ્યો છે. દયાબેન ના પાત્ર માટે દિશા વાકાણી ની પસંદગી કેવી રીતે થઈ, તે અંગે પ્રોડ્યુસર અસિત મોદી એ તાજેતરમાં ખુલાસા કર્યા છે. આ ઉપરાંત અસિત મોદી એ દિલીપ જોશી ના કાસ્ટિંગ અંગે પણ વાત કરી છે.
આ સમાચાર પણ વાંચો: Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મહેશબાબુ ની મુશ્કેલી વધી, આ મામલે ઇડી એ મોકલ્યું અભિનેતા ને સમન
દયાબેનના પાત્ર માટે દિશા વાકાણી ની પસંદગી
અસિત મોદીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે દિશા વાકાણી એક ઉત્તમ અભિનેત્રી છે. જ્યારે તેમને દયાબેન પાત્ર માટે ઓડિશન આપવામાં આવ્યું, ત્યારે તેમની નિર્દોષતા અને કુટુંબપ્રેમી સ્વભાવ જોઈને તેઓને તરત જ પસંદ કરવામાં આવ્યા.અસિત મોદીએ જણાવ્યું કે દયાબેનનું ‘હે મા, માતાજી!’ સંવાદ ગુજરાતમાં સામાન્ય રીતે સાંભળવા મળે છે. દયાબેનના પાત્રમાં કુટુંબપ્રેમ અને નિર્દોષતા દર્શાવવાની કોશિશ કરવામાં આવી હતી.
View this post on Instagram
અસિત મોદીએ ખુલાસો કર્યો કે દયાબેન ના ગરબા સ્ટાઇલ સ્ક્રિપ્ટમાં નહોતું, પરંતુ દિશા વાકાણી એ શૂટિંગ દરમિયાન તેને ઉમેર્યું, જે આજે શોની એક ઓળખ બની ગઈ છે.આ ઉપરાંત, દિલીપ જોશીના કાસ્ટિંગ અંગે અસિત મોદી એ કહ્યું, ‘અમે ઘણી વર્કશોપ કરી. ઘણા કલાકારો લાંબા ફોર્મેટમાં નવા હતા. દિલીપને ગુજરાતી રંગભૂમિનો અનુભવ છે અને તેમણે મદદ કરી. તે ઇમ્પ્રુવાઇઝ કરે છે. આનાથી તેમના પાત્રમાં ઊંડાણ આવ્યું. પણ બાકીના બધા નવા ચહેરા હતા. હું દરેકમાં કુદરતી નિર્દોષતા શોધી રહ્યો હતો.’
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)