News Continuous Bureau | Mumbai
Ranveer Singh Don 3| બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ અને પ્રખ્યાત ડાયરેક્ટરપ્રોડ્યુસર ફરહાન અખ્તર વચ્ચે ફિલ્મ ‘ડોન ૩’ ને લઈને શરૂ થયેલો વિવાદ હવે જગજાહેર થઈ ચૂક્યો છે. હાલમાં જ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) દ્વારા રણવીર સિંહ વિરૂદ્ધ નોનકોઓપરેશન (અસહકાર) નોટિસ જાહેર કરવામાં આવી છે. જોકે, અહેવાલો અનુસાર આ વિવાદ સત્તાવાર રીતે જાહેર મીડિયામાં વકરે તે પહેલાં જ રણવીર સિંહ અને તેની ટીમે અંગત સ્તરે ફરહાન અખ્તરની પ્રોડક્શન કંપની ‘એક્સેલ એન્ટરટેઈનમેન્ટ’ સાથે સમાધાન કરવા માટે એક મોટી આર્થિક ડીલનો પ્રસ્તાવ મૂક્યો હતો.
રણવીર સિંહે આપ્યો ૩૫ કરોડની નાણાકીય સેટલમેન્ટ અને એડવાન્સ મનીનો પ્રસ્તાવ
રિપોર્ટ્સ અનુસાર, આ મામલો સાર્વજનિક રૂપે વધુ વિવાદાસ્પદ બને તે પહેલાં રણવીર સિંહે કુલ ૩૫ કરોડ રૂપિયાના ફાઇનાન્સિયલ સેટલમેન્ટ દ્વારા આ વિવાદને ખાનગીમાં જ ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. આ અંતર્ગત રણવીર કેમ્પે એક્સેલ એન્ટરટેઈનમેન્ટને ૧૦ કરોડ રૂપિયાની એડવાન્સ રકમ (અપફ્રન્ટ પેમેન્ટ) તાત્કાલિક ચૂકવવાની અને ભવિષ્યમાં તેમની સાથે કોઈપણ ફિલ્મમાં કામ કરવા બદલ ફીમાં ૨૫ કરોડ રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ (છૂટ) આપવાની ઓફર કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાયેલી એક હાઈ-પ્રોફાઈલ બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી.
બોલિવૂડના મહાનુભાવોની હાજરીમાં મળેલી ગુપ્ત મીટિંગમાં પણ વાત ન બની
આ વિવાદને શાંત કરવા માટે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના કેટલાક સૌથી મોટા પ્રભાવશાળી પ્રોડ્યુસર્સ અને કલાકારોએ મધ્યસ્થતા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ગુપ્ત બેઠકમાં આમિર ખાન, સાજીદ નાડિયાદવાલા, કરણ જોહર, ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની જેવા સેલેબ્સ સામેલ થયા હતા. જોકે, રણવીર સિંહનો આ પ્રસ્તાવ ફરહાન અને રિતેશ સિધવાનીને બિલકુલ પસંદ આવ્યો નહોતો. તેઓ ભવિષ્યની કોઈ બિઝનેસ ડીલ અથવા ફિલ્મમાં ડિસ્કાઉન્ટ મેળવવાના બદલે ‘ડોન ૩’ ના પ્રી-પ્રોડક્શન સ્ટેજ દરમિયાન થયેલા આર્થિક નુકસાન માટે સીધું જ અને તાત્કાલિક હરજાણું (વળતર) મેળવવા માંગતા હતા, જેના કારણે આ વાતચીત નિષ્ફળ રહી હતી.
૨ વર્ષના સમયના બગાડ અને આર્થિક નુકસાનથી નારાજ મેકર્સ હવે રણવીર સાથે કામ નહીં કરે
એક્સેલ એન્ટરટેઈનમેન્ટના પ્રોડ્યુસર્સ આ વાતને લઈને એકદમ સ્પષ્ટ છે કે છેલ્લા બે વર્ષમાં ફિલ્મની શિડ્યુલિંગ, પ્રારંભિક કામ અને કાસ્ટિંગની અનિશ્ચિતતાના કારણે તેમને મોટું પ્રોફેશનલ અને આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. આ મનમુટાાવના લીધે બેનરે રણવીર સિંહ સાથે ભવિષ્યમાં કોઈપણ પ્રોજેક્ટ પર કામ ન કરવાનો કડક નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે રણવીરે ફિલ્મ છોડ્યા બાદ જ ફેડરેશને તેના પર અસહકારનું પગલું ભર્યું છે. આ વિવાદો વચ્ચે રણવીર સિંહ તાજેતરમાં આધ્યાત્મિક ગુરુ સદ્ ગુરુના આશ્રમમાં પણ જોવા મળ્યો હતો, જ્યાં તેણે જીવનના ઉદ્દેશ્ય અંગે ચર્ચા કરી હતી.
👉 આ સમાચાર વાચો:
Ketu Nakshatra Parivartan। કેતુનું મોટું નક્ષત્ર પરિવર્તન મઘા નક્ષત્રમાં જતા જ આ ૫ રાશિઓના શરૂ થશે સારા દિવસો, મળશે અઢળક ધનસંપત્તિ!
