રોજ રાત્રે સૂતા પહેલા અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાયની માંગતો હતો માફી, જાણો તેની પાછળ નું કારણ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 નવેમ્બર, 2021

સોમવાર

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન બોલિવૂડના એવા કપલમાંથી એક છે જેમની વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ માનવામાં આવે છે. જો કે, તેમના પ્રેમની ચમક અનેક મુલાકાતો અને ઘટનાઓમાં  સ્પષ્ટપણે જોવા મળે છે. આજ સુધી તેમની વચ્ચે કોઈ ગંભીર ઝઘડો થયો નથી, પરંતુ ઘણી વખત ઝઘડો થયો હોવાના અહેવાલો આવ્યા છે.

એક ઈન્ટરવ્યુમાં બંનેએ તેમના લગ્ન જીવન વિશે ઘણી રસપ્રદ વાતો જણાવી હતી. બંનેએ એ હકીકત સ્વીકારી લીધી કે સામાન્ય કપલની જેમ તેમની વચ્ચે પણ ઘણી વાર ઝઘડા થતા હતા. ઐશ્વર્યાએ એ પણ જણાવ્યું કે તે અભિષેક બચ્ચન સાથે એક યા બીજી વાતને લઈને ઘણી લડાઈ કરતી હતી. એશે કહ્યું કે આ ઝઘડા નથી પરંતુ એક પ્રકારનો મતભેદ હતો. કારણ કે જો ઝઘડા ન હોત તો જીવન કંટાળાજનક બની જાત.

અભિષેક બચ્ચનને બદલે આ વ્યક્તિને પિતા સમજી ને વળગી પડી હતી આરાધ્યા; જાણો તે અભિનેતા કોણ હતો

આ વાતચીતમાં અભિષેકે તેના લગ્ન જીવનને યોગ્ય રીતે ચલાવવાનું એક રમુજી રહસ્ય જાહેર કર્યું. તેણે કહ્યું કે અમે સાથે મળીને નક્કી કર્યું હતું કે અમે ઝગડો  કરી ને સૂઈશું નહીં. તેથી જ તે દરરોજ રાત્રે સૂતા પહેલા દિવસની દરેક ભૂલની માફી માંગતો હતો. આના પર કોમેડીનો છાંટો આપતાં તેણે કહ્યું, 'મહિલાઓ ગમે તેમ કરીને પોતાની ભૂલો સ્વીકારતી નથી, તેથી મોટાભાગની લડાઈમાં હું જ માફી માંગી લઉં છું’.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More