Site icon

Anupam Kher IFFI 2024: ઇફ્ફી 2024માં પીઢ અભિનેતા અનુપમ ખેરનું ‘ધ પાવર ઓફ ફેઈલર’ સત્ર, તેમના માસ્ટર ક્લાસમાં વિદ્યાર્થીઓને નિષ્ફળતા પર કહી ‘આ’ વાત..

Anupam Kher IFFI 2024: "નિષ્ફળતા એક ઇવેન્ટ છે, તે ક્યારેય કોઈ વ્યક્તિ ન હોય" - ઇફ્ફી 2024માં પીઢ અભિનેતા અનુપમ ખેર. ‘હું મારી પોતાની નિષ્ફળતાઓની સક્સેસ સ્ટોરી છું" - અનુપમ ખેર. પીઢ અભિનેતાએ 55મા આઇએફએફઆઇ માસ્ટરક્લાસ પર 'ડોન્ટ ગિવ અપ'ની તેમની જીવનની ફિલસૂફીને દ્રઢપણે સમર્થન આપ્યું

Failure is an event, never a person - veteran actor Anupam Kher at IFFI 2024

Failure is an event, never a person - veteran actor Anupam Kher at IFFI 2024

News Continuous Bureau | Mumbai

Anupam Kher IFFI 2024:  ભારતીય સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક અનુપમ ખેરે, 55મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા (IFFI)ના ચોથા દિવસે એકેડેમી ઑફ આર્ટસ, પણજી, ગોવા ખાતે એક મંત્રમુગ્ધ કરનાર માસ્ટર ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓ અને પ્રતિનિધિઓને સંમોહિત કર્યા.

Join Our WhatsApp Community

અનુપમ ખેરે ( Anupam Kher )  ‘ધ પાવર ઓફ ફેઈલર’ પર સત્રની શરૂઆત એમ કહીને કરી, “મને લાગે છે કે હું મારી નિષ્ફળતાઓની સફળતાની વાર્તા છું.” આખું સત્ર જીવનના પાઠો પર ખરેખર એક માસ્ટરક્લાસ હતું, જેમાં તેમના અંગત જીવનની ઘણી વાર્તાઓ તેમની લાક્ષણિક બુદ્ધિથી ભરેલી હતી..

અનુપમ ખેરે ( The Power of Failure ) કહ્યું કે એમની કથાનો આરંભ શિમલામાં થયો હતો જ્યાં ચૌદ સભ્યોના સંયુક્ત પરિવારે પોતાનું જીવન એક જ ઓરડામાં વિતાવ્યું હતું જેમાં એમના પિતા જ કમાનારા સભ્ય હતા. તેમના શબ્દોમાં કહીએ તો, તેઓ ગરીબ હતા, પરંતુ આશ્ચર્યજનક રીતે ખુશ હતા અને તેમના દાદાએ ટિપ્પણી કરી હતી કે, “જ્યારે લોકો ખૂબ ગરીબ હોય છે, ત્યારે તેમના માટે સૌથી સસ્તી વસ્તુ સુખ બની જાય છે.”

અત્યંત અનુભવી અભિનેતાએ ( Anupam Kher IFFI 2024 ) પાંચમા ધોરણમાં ભણતી વખતે પહેલી વાર શાળાના નાટકમાં ભાગ ભજવ્યો હતો તે યાદ કરતાં કહ્યું હતું કે જ્યારે તે આશ્વાસન ઇનામ પણ મેળવવામાં નિષ્ફળ ગયા ત્યારે તેઓ દયનીય બની ગયા હતા. “‘નિષ્ફળતા એ એક ઘટના છે, ક્યારેય કોઈ વ્યક્તિ નથી હોતી’, મારા પિતાએ તે દિવસે મને શીખવ્યું હતું. તેના પછીની સહેલગાહમાં, ઉભરતા અભિનેતાએ ( Veteran Actor ) વિલિયમ શેક્સપિયરના ‘મર્ચન્ટ ઓફ વેનિસ’ નાટકમાં તેમને સોંપવામાં આવેલા સંવાદની 2 પંક્તિઓમાં 27 ભૂલો કરી હતી!

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી) ગોલ્ડ મેડલ વિજેતા યુવા અભિનેતા પહેલી વાર મુંબઈ આવ્યા તે સમયની વાત કરીએ તો. ખેરે કહ્યું, “હું પહેલેથી જ એનએસડી ગોલ્ડ મેડલ વિજેતા હતો ત્યારથી પહેલી જ તક મળતા સિટી ઓફ ડ્રીમ્સને જીતવાનો આત્મવિશ્વાસ મારામાં હતો.” પરંતુ થોડા જ મહિનાઓમાં તેને 27 દિવસ રહેવા માટે બાંદ્રા ઇસ્ટ રેલવે સ્ટેશન પર શિફ્ટ થવું પડ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Odisha Parba 2024 PM Modi: ઓડિયા સમાજ ફાઈન્ડેશને આજે કર્યું ‘ઓડિશા પર્વ 2024’નું આયોજન, PM મોદી કરશે આ કાર્યક્રમને સંબોધિત.

પરંતુ ઘણા ઉતાર-ચઢાવ પછી ખેરને ફિલ્મ ‘સારંશ’થી પુરસ્કાર મળ્યો. શ્રી ખેરે યાદ કર્યું કે 1984માં તેઓ પહેલીવાર દિલ્હીમાં IFFIની મુલાકાતે ગયા હતા. આ માસ્ટરક્લાસ સાથે IFFIની ( IFFI 2024 ) તેમની પ્રથમ મુલાકાતને 40 વર્ષ થયા છે.

અનુપમ ખેર માટે જીવન રોલરકોસ્ટરની સવારી જેવું બની રહ્યું. પરંતુ દરેક પતનમાં, પછી ભલે તે ‘હમ આપકે હૈ કૌન’ના શૂટિંગ દરમિયાન ચહેરાના લકવાનો ભોગ બન્યા હોય એ સમય હોય, અથવા જ્યારે તેઓ 2004માં લગભગ નાદાર થઈ ગયા એ સમય; દરેક વખતે, તેઓ તેમના પિતા અને દાદા પાસેથી મળેલી શિખામણને વળગી રહ્યા.

અનુપમ ખેરની ઉબડખાબડ જીવન યાત્રાને સાંભળીને શ્રોતાઓ અવાચક થઈ ગયા હતા. પરંતુ તેમના ચુંબકીય વ્યક્તિત્વ, વિચાર-વિમર્શ અને અભિનય સાથે, અડસઠ વર્ષના પીઢ અભિનેતાએ, ‘ક્યારેય હાર ન માનો જેવા’, તેમના જીવન દર્શનના ટોનિક સાથે સમગ્ર શ્રોતાઓને સહેલાઇથી સંભાળી લીધા હતા!

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Vimal Ad Controversy: પાન મસાલાની એડ કરવી શાહરુખ, અજય અને ટાઇગર ને પડી ભારે, જારી થઇ નોટિસ, આ તારીખે રહેવું પડશે હાજર
TRP Charts: ટીઆરપી રેસમાં આ શો એ મારી બાજી, સ્મૃતિ ઈરાની નો શો ટોપ 3 માંથી બહાર
Shahrukh Khan: શાહરુખ ખાને બતાવી માનવતા, પંજાબ પૂર પીડિતો માટે આગળ આવ્યો અભિનેતા, આટલા પરિવાર ને મળશે મદદ
Aishwarya rai Bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન ની અરજી પર દિલ્હી હાઈકોર્ટ એ આપ્યો આવો ચુકાદો
Exit mobile version