News Continuous Bureau | Mumbai
સિનેમા જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. પંજાબી અને હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા અને નિર્દેશક મંગલ ધિલ્લોનનું નિધન થયું છે. કેન્સર સાથે લાંબી લડાઈ લડ્યા પછી, અભિનેતાનું અવસાન થયું અને આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહ્યું. મંગલ ધિલ્લોનના મૃત્યુથી અભિનેતાનો પરિવાર અને ચાહકો આઘાતમાં છે.મળતી માહિતી મુજબ, મંગલ ધિલ્લોન લાંબા સમયથી લુધિયાણાની હોસ્પિટલમાં દાખલ હતા. તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ કેન્સર સામેની લડાઈ લડતા તેમનું મૃત્યુ થયું હતું. સૌથી દુઃખદ વાત એ છે કે 18 જૂને તેમનો જન્મદિવસ હતો, પરંતુ જન્મદિવસના એક અઠવાડિયા પહેલા જ તેમણે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું.
મંગલ ધિલ્લોન ની કારકિર્દી
મંગલ ધિલ્લોને 1980માં એક્ટિંગનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ કર્યો હતો. તેણે દિલ્હીમાં થિયેટરમાં પણ કામ કર્યું. આ પછી, તેણે વર્ષ 1986 માં ટીવી શો ‘કથા સાગર’ દ્વારા મનોરંજન ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. તે જ વર્ષે, તેને બીજો ટીવી શો ‘બુનિયાદ’ મળ્યો, જેમાં તેણે શાનદાર કામ કર્યું.આ સિવાય તે જુનૂન, કિસ્મત, ધ ગ્રેટ મરાઠા, પેન્થર, સાહિલ, મૌલાના આઝાદ, મુજરિમ હાઝીર, રિશ્તા, યુગ અને નૂરજહાં સહિતના ઘણા શોમાં જોવા મળ્યો હતો.
ફિલ્મો માં જોવા મળ્યા હતા મંગલ ધિલ્લોન
અભિનેતા હોવા ઉપરાંત, તેઓ લેખક અને ફિલ્મ નિર્દેશક પણ હતા.ટીવી બાદ અભિનેતાએ ‘ખૂન ભરી માંગ’, ‘કહાં હૈ કાનૂન’, ‘અપના દેશ પરાય લોગ’, ‘વિશ્વાતમા’, ‘ઝિંદગી એક જુઆ’, ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ જેવી ઘણી ફિલ્મોમાં પોતાની જોરદાર એક્ટિંગ બતાવી. વર્ષ 2017માં મંગલ ધિલ્લોન છેલ્લે ફિલ્મ ‘તુફાન સિંહ’માં જોવા મળ્યા હતા આ સાથે તેણે ઘણી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું.
આ સમાચાર પણ વાંચો: ‘મુસલમાનોને નફરત કરવી ફેશન છે’ના નિવેદન પર મુકેશ ખન્ના થયા ગુસ્સે, નસીરુદ્દીન શાહ ની કાઢી ઝાટકણી