News Continuous Bureau | Mumbai
Govinda-Sunita Divorce: બોલીવૂડના સુપરસ્ટાર ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહૂજા વચ્ચે છૂટાછેડા ની અફવાઓએ સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલ્સ પર ભારે ચર્ચા જગાવી છે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુનીતાએ છૂટાછેડા માટે અરજી કરી છે. જોકે, ગોવિંદાના મેનેજરે આ તમામ અફવાઓને ખોટી અને બિનઆધારભૂત ગણાવી છે
આ સમાચાર પણ વાંચો : Maa OTT release: થિયેટર બાદ હવે ઓટિટિ પર આવી રહી છે માં, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો કાજોલ ની હોરર ફિલ્મ
મેનેજરનું નિવેદન
ગોવિંદાના મેનેજરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, “સુનીતા અને ગોવિંદા વચ્ચે કોઈ છૂટાછેડા ની પ્રક્રિયા ચાલી રહી નથી. સુનીતાએ કોઈ અરજી કરી નથી. આ અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે.” તેમણે વધુમાં કહ્યું કે, “તમે જે વાંચી રહ્યા છો તે માત્ર અફવા છે, હકીકતથી તેનો કોઈ સંબંધ નથી” સુનીતા દ્વારા મહાલક્ષ્મી મંદિરના દર્શન દરમિયાન એક ભાવુક વ્લોગ શેર કરવામાં આવ્યો હતો. તેમાં તેમણે કહ્યું કે, “મેં બાળપણથી માતાજી પાસે પ્રાર્થના કરી હતી કે મારી ગોવિંદા સાથે લગ્ન થાય અને જીવન સુખમય બને.” તેમણે આ પણ ઉમેર્યું કે જીવનમાં ઉતાર-ચઢાવ આવતાં રહે છે અને “મારા ઘરને તોડવાની કોશિશ કરનારને માતા કાળી ન્યાય આપશે”
View this post on Instagram
મીડિયા રિપોર્ટ અનુસાર, સુનીતાએ જૂન મહિનામાં છૂટાછેડા ની અરજી કરી હતી અને ગોવિંદાને 25 મેના રોજ સમન્સ મોકલવામાં આવ્યા હતા. જોકે, ગોવિંદા ઘણી વખત કોર્ટમાં હાજર રહ્યા નથી. બીજી તરફ, તેમના વકીલ એ જણાવ્યું કે, “તેમણે છ મહિના પહેલા છૂટાછેડાની અરજી કરી હતી, પણ હવે બંને વચ્ચેના મતભેદો દૂર થઈ ગયા છે અને તેઓ ફરીથી સાથે છે”
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)