ગુલશન કુમાર હત્યાકાંડ મામલે હાઇકોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો આ આરોપીની આજીવન કેદની સજા યથાવત રાખી ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ટી-સીરીઝના સ્થાપક ગુલશન કુમાર હત્યા કેસમાં બોમ્બે હાઈકોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. 

બોમ્બે હાઈકોર્ટે  એક દોષિત અબ્દુલ રઉફ ઉર્ફે દાઉદ મર્ચન્ટની સજાને યથાવત રાખી છે. જ્યારે રમેશ તૌરાનીને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 

કોર્ટને તેની વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. તેથી જ તોરાની વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારની અરજી નામંજૂર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે 12 ઓગસ્ટ, 1997 ના રોજ ગુલશન કુમાર મંદિરથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે કેટલાક બદમાશોએ ગુલશન કુમાર પર ગોળીબાર કર્યો હતો.

હવે નામકરણને લઈને નવો વિવાદ જાગ્યો; દહિસર મેટ્રો સ્ટેશનને ‘અપર દહિસર’ નામ અપાતાં સ્થાનિકો નારાજ, જાણો વિગત 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment