Site icon

આર્યન ખાનના કિસ્સામાં, અભિનેતા પરેશ રાવલની પ્રતિક્રિયાએ બૉલિવુડમાં મચાવી દીધી હલચલ! કહી આ વાત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 18 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

બૉલિવુડના કિંગ તરીકે જાણીતો અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની હાઈ પ્રોફાઇલ ક્રૂઝ રેવ પાર્ટીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આર્યનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે અને તેને આર્થર રોડ જેલમાં ખસેડવામાં આવ્યો છે. આર્યને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા તપાસમાં ડ્રગ્સ લેવાની કબૂલાત કરી છે. આર્યનની જામીન અરજી પર 20 ઑક્ટોબરે સુનાવણી થશે. દરમિયાન ઘણા બૉલિવુડ કલાકારોએ આ મામલે આર્યનનું સમર્થન કર્યું છે અને તાજેતરમાં જ બૉલિવુડના લોકપ્રિય અભિનેતા પરેશ રાવલે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

હકીકતમાં તેમણે પોતાનાં મંતવ્યો ખૂબ જ મૂલ્યવાન શબ્દોમાં વ્યક્ત કર્યાં છે. એક મીડિયા હાઉસને  આપેલા એક વિશિષ્ટ ઇન્ટરવ્યૂમાં પરેશ રાવલે કહ્યું હતું કે, "આર્યન ખાન કેસ પર શું થયું તે કોઈને બરાબર ખબર નથી. એથી દરેક વ્યક્તિ અનુમાન લગાવે છે કે તે કોણ છે? પરંતુ હું આવા કોઈ અનુમાન લગાવતો નથી. આ કેસની તપાસ પૂર્ણ થવા દો, એનો રિપૉર્ટ આવવા દો, પછી તમે એના પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકો. આ કેસ રાષ્ટ્રીય સ્તરે ટાઇમપાસ છે. સુશાંત સિંહ રાજપૂત પ્રકરણમાં ટીવી ઉપર કેટલાંક સર્કસ બતાવવામાં આવ્યાં હતાં. આનાથી લૉકડાઉનમાં લોકોનું ખૂબ જ મનોરંજન થયું. એનો  રિપૉર્ટ હજુ આવ્યો નથી. આ બધામાં રિયા ચક્રવર્તીની કારકિર્દી બરબાદ થઈ ગઈ. એથી હું આ સમયે આર્યન કેસ પર ટિપ્પણી કરીશ નહીં. જ્યારે રિપૉર્ટ આવે છે, ત્યારે અમે તેના વિશે વાત કરી શકીએ.

પરેશ રાવલે ઇન્ટરવ્યૂમાં આગળ કહ્યું, 'હવે જ્યારે બાળકોના વર્તનની વાત આવે છે, ત્યારે તમે પિતા તરીકેની તમારી તમામ ફરજો પૂરી કરો છો. પરંતુ તમે બાળકોના જીવન પર નિયંત્રણ રાખી શકતા નથી. જ્યારે છોકરો મોટો થાય છે, ત્યારે તેને જીવન મળે છે. તે જે ઇચ્છે તે કરવા માગે છે. એથી તમે તેના પર નજર રાખી શકતા નથી અથવા તેના જીવનને નિયંત્રિત કરી શકતા નથી. એ શક્ય નથી. તમે તમારાં બાળકો સાથે ઘરે સારો વ્યવહાર કરો છો, પરંતુ જો બાળક બહાર ખરાબ સંગતમાં હોય તો તમે શું કરી શકો? એથી બાળકોએ કોઈ પણ ક્રિયા કરતી વખતે સો વખત વિચાર કરવો જોઈએ. તેણે માતાપિતાની છબી ખરાબ ન થાય કે તેમની છબી ખરાબ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ.

અક્ષયકુમાર છે 2,000 કરોડની સંપત્તિનો માલિક, વિશ્વના આ ચાર દેશમાં છે વૈભવી બંગલા; જાણો વિગત

હકીકતમાં, આજની વાસ્તવિકતા પરેશ રાવલ દ્વારા રજૂ કરવામાં આવી છે, કારણ કે માતાપિતા તેમનાં બાળકોની સંભાળ 24 કલાક રાખી શકતાં નથી, પરંતુ બાળકોની પણ ફરજ છે કે તેઓ તેમનાં માતાપિતાનું નામ કલંકિત કરે એવું કંઈ ન કરે અથવા એની ખાસ કાળજી લે.

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version