News Continuous Bureau | Mumbai
India’s Got Latent controversy: સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના હાલમાં તેના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ને લઈને વિવાદમાં છે. આ શો પર અશ્લીલતા અને અશ્લીલ સામગ્રી પ્રસારિત કરવાનો આરોપ મૂકાયો છે, જેના કારણે તેના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.સાયબર સેલ એ સમય ને ત્રીજીવાર સમન્સ મોકલાવ્યું છે હવે આ બધાની વચ્ચે સમયે એક પોસ્ટ દ્વારા પોતાના ભારત પ્રવાસ વિશે મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે.
આ સમાચાર પણ વાંચો: Samay Raina: સમય રૈના ની મુશ્કેલી વધી, મહારાષ્ટ્ર સાયબર સેલે મોકલ્યો ત્રીજો સમન્સ, કોમેડિયન ને આ તારીખે હજાર રહેવા જણાવ્યું
સમય રૈના એ શેર કરી પોસ્ટ
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સમય રૈનાએ તેના ભારત પ્રવાસને પુનઃનિર્ધારિત કરવાનો નિર્ણય લીધો છે. સમયે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી માં આ સમાચાર શેર કર્યા છે અને શો માટે ટિકિટ ખરીદનાર લોકોને રિફંડ આપવાની ખાતરી આપી છે
View this post on Instagram
આ ઉપરાંત સમય રૈનાએ તેના પ્રશંસકોને આ પરિસ્થિતિને સમજવા માટે આભાર વ્યક્ત કર્યો છે અને આગામી સમયમાં નવી તારીખોની જાહેરાત કરવાની પ્રતિજ્ઞા કરી છે. સમયે ઉમેર્યું છે કે તે તેના શો દ્વારા હંમેશા હાસ્ય અને આનંદ ફેલાવવા પ્રયત્નશીલ રહ્યો છે અને આગળ પણ એ જ ઉદ્દેશ્ય સાથે કામ કરતો રહેશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)