News Continuous Bureau | Mumbai
Rajpal Yadav: ચેક બાઉન્સ કેસમાં તિહાર જેલમાં બંધ કોમેડિયન રાજપાલ યાદવ માટે રાહતના સમાચાર આવ્યા છે. તેમના મેનેજર ગોલ્ડીએ પુષ્ટિ કરી છે કે બોલીવુડના મોટા કલાકારો તેમની મદદ માટે આગળ આવ્યા છે. રાજપાલે જેલ જતા પહેલા ‘ન પૈસા છે, ન કોઈ દોસ્ત’ એવું ભાવુક નિવેદન આપ્યું હતું, જેના પછી આખી ઇન્ડસ્ટ્રી તેમની સાથે ખડકની જેમ ઉભી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Don 3 Controversy: શું ‘ડોન ૩’ માંથી રણવીર સિંહની એક્ઝિટ? ફરહાન અખ્તર સાથે એવો ડખો થયો કે વાત ૪૦ કરોડના વળતર સુધી પહોંચી, જાણો વિવાદનું અસલી કારણ
સલમાન ખાનથી લઈને ડેવિડ ધવન સુધીના તમામ સપોર્ટમાં
ગોલ્ડીએ મીડિયા ને આપેલા નિવેદનમાં જણાવ્યું કે, “ઘણા લોકો રાજપાલ ભાઈની મદદ કરી રહ્યા છે. સોનુ સૂદ, સલમાન ખાન અને અજય દેવગણે પોતાનો સપોર્ટ જાહેર કર્યો છે. મેં હમણાં જ ડેવિડ ધવન સાથે વાત કરી, તેમણે પણ મદદની ખાતરી આપી છે. રતન જૈન, વરુણ ધવન અને અન્ય સેલેબ્સ પણ સાથે છે.” ગોલ્ડીએ ઉમેર્યું કે આટલા મોટા પાયે મળી રહેલા પ્રતિસાદની રાજપાલે જેલમાંથી જ પ્રશંસા કરી છે.
રાજપાલ યાદવ ક્યારે જેલમુક્ત થશે તે અંગે મેનેજરે આશા વ્યક્ત કરી છે કે ૧૨ ફેબ્રુઆરીએ તેમની જામીન અરજી પર સુનાવણી થવાની છે. બેલ એપ્લિકેશન પહેલેથી જ ફાઈલ કરી દેવામાં આવી છે અને જો બધું બરાબર રહ્યું તો આવતીકાલ સુધીમાં તેઓ બહાર આવી શકે છે. ફેબ્રુઆરીના અંતમાં રાજપાલના પરિવારમાં કેટલાક ફંક્શન્સ પણ હોવાથી દરેક ઈચ્છે છે કે તેઓ જલ્દી ઘરે પરત ફરે.જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમામ કલાકારોએ પૈસા મોકલી દીધા છે? ત્યારે ગોલ્ડીએ સ્પષ્ટતા કરી કે, “ઇન્ડસ્ટ્રી તેમની સાથે મક્કમતાથી ઉભી છે એ મોટી વાત છે. બધાએ કમિટમેન્ટ (વચન) આપ્યા છે, પરંતુ આવા મોટા ટ્રાન્ઝેક્શન રાતોરાત થતા નથી, તેમાં થોડો સમય લાગે છે.”
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
