અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલી વધી-EDએ આ કેસમાં બનાવી આરોપી-ચાર્જશીટ થશે દાખલ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઠગ સુકેશ ચંદ્રશેખર કેસમાં એક્ટ્રેસ જૈકલીન ફર્નાંડિસની મુશ્કેલીઓ વધી ગઇ છે. તેમને ઇડીએ આરોપી(accused) બનાવ્યા છે. આ કેસ ૨૧૫ કરોડ રૂપિયા એકઠા કરવા સાથે જાેડાયેલો છે. ઇડી(ED) સુકેશ ચંદ્રશેખર સાથે કથિત સંબંધોને લઇને ઘણીવાર જૈકલીન ફર્નાંડિસ સાથે પૂછપરછ કરી ચૂકી છે. તાજેતરમાં જ ઇડીએ તેમની ૧૨ લાખની એફડી પણ એટેચ કરી હતી.  આ કેસમાં જૈકલીન ફર્નાંડિસ સાક્ષીના રૂપમાં જ પોતાનું નિવેદન નોંધાવી(statement) ચૂકી છે. ગત વર્ષે ડિસેમ્બરમાં આ કેસમાં પહેલી ચાર્જશીટ(Chargesheet) અધિક સેશન જજ પ્રવીણ સિંહની કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં ઇડીએ પિંકી ઇરાની વિરૂદ્ધ સપ્લીમેંટ્રી ચાર્જશીટ દાખલ કરી હતી. પિંકીએ(pinki) જ સુકેશની ઓળખાણ જૈકલીન ફર્નાંડિસ સાથે કરાવી હતી. એવો આરોપ હતો કે પિંકી ઇરાની જ જૈકલીન ફર્નાંડિસ માટે મોંઘી ગિફ્ટ પસંદ કરતી હતી અને જ્યારે સુકેશ કિંમત આપી દેતો હતો તો તેને જૈકલીન ફર્નાંડિસને આપી દેતી હતી.

સુકેશે ઘણી મોડલ અને અભિનેત્રીઓ પર લગભગ ૨૦ કરોડ રૂપિયા લૂટાવ્યા હતા.ઘણી અભિનેત્રી અને મોડલે  તેની મોંઘી ગિફ્ટ(gift) લેવાની ના પાડી હતી. ચંદ્રશેખર સાથે જાેડાયેલા ૨૦૦ કરોડ રૂપિયાની મની લોન્ડ્રિંગ કેસમાં ઇડીએ એપ્રિલમાં જૈકલીનને ૭ કરોડ રૂપિયાની ભેટો અને સંપત્તિને અપરાધની આવક ગણાવતાં કુર્ક કરી હતી.  ફેબ્રુઆરીમાં ઇડીએ (ED)ખુલાસો કર્યો હતો કે સુકેશ ચંદ્રશેખરે કથિત રીતે પોતાની સહયોગી પિંકી ઇરાની દ્રારા બોલીવુડ અભિનેત્રીઓ ભૂમિ પેડનેકર, સારા અલી ખાન અને જાહ્નવી કપૂરને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઇડીના સૂત્રોએ કહ્યું હતું કે પિંકી ઇરાની કેટલીક અભિનેત્રીઓને સુકેશ(Sukesh) સાથે મુલાકાત માટે તિહાડ જેલ ગઇ હતી, પરંતુ આ અભિનેત્રીઓની ઓળખ જણાવી ન હતી. પિંકી મોટાભાગે અભિનેત્રીઓ સાથે મળતી હતી. તેથી તેમણે જણાવ્યું કે તેમનું નામ પરી છે.  જાેકે ઇડીએ સુકેશ ચંદ્રશેખર તેમની પત્ની લીના મારિયા પોલ અને અન્ય ૬ વિરૂદ્ધ ૨૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં(money laudaring case) ચાર્જશીટ દાખલ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને બોયકોટની માગણીની અસર બોક્સ ઓફિસ પર થઇ- અભિનેતા સરી પડ્યો આઘાતમાં 

ઇડીનો આરોપ છે કે જ્યારે સુકેશ તિહાડ જેલમાં(Tihar jail) હતો, ત્યારે તેણે રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિંદર સિંહ અને માલવિંદર સિંહને જેલમાંથી બહાર નિકાળવાની લાલચ આપી હતી. તેના માટે બંનેની પત્નીઓ પાસે ૨૦૦ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી(fraud) કરી હતી. તેણે પોતાને પીએમઓ ક્યારેક ગૃહ મંત્રાલય સાથે જાેડાયેલા ઓફિસર ગણાવ્યા હતા. ત્યારબાદ સુકેશ પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More