News Continuous Bureau | Mumbai
Jaya Bachchan: બોલીવૂડ અભિનેત્રી અને સપા સાંસદ જયા બચ્ચન ફરી એકવાર તેના સંસદીય ભાષણને કારણે ચર્ચામાં આવી છે. ઓપરેશન સિંદૂરઅંગે સંસદમાં આપેલા નિવેદન બાદ તે ટ્રોલ થઈ રહી છે. જયા બચ્ચનએ પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા લોકો માટે સંવેદના વ્યક્ત કરી અને પ્રશ્ન કર્યો કે જ્યારે મહિલાઓના સિંદૂર ઉજડી ગયા, ત્યારે ઓપરેશનનું નામ “સિંદૂર” કેમ રાખવામાં આવ્યું?
આ સમાચાર પણ વાંચો : Ekta Kapoor: કયુંકી સાસ ભી કભી બહુ થી 2 ની વાપસી થી ડરી ગઈ રૂપાલી ગાંગુલી? નિર્માત્રી એકતા કપૂરે કર્યો ખુલાસો
સંસદમાં જયા બચ્ચનની ઉગ્ર પ્રતિક્રિયા
જયા બચ્ચન એ પેહલગામની ઘાટીમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 26 નિર્દોષ લોકોના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી. તેણે કહ્યું કે, “સિંદૂર તો ઉજડી ગયો, જે લોકો મર્યા તેમની પત્નીઓનું શું?” આ નિવેદન દરમિયાન જ્યારે સત્તાપક્ષના સાંસદોએ ટોકા-ટોકી કરી, ત્યારે જયા બચ્ચન ભડકી ઉઠી અને કહ્યું, “જ્યારે હું બોલું છું ત્યારે વચ્ચે ન બોલો.” જયા બચ્ચન જ્યારે ઉગ્ર ભાષણ આપી રહી હતી ત્યારે શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી એ તેમને શાંતિ રાખવા કહ્યું. પરંતુ જયા બચ્ચનએ જવાબ આપ્યો, “મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો.”
View this post on Instagram
જયા બચ્ચનના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલ શરૂ થઈ ગયા. એક યુઝરે લખ્યું, “અમિતાભ તો જીવતા છે, તો તમે સિંદૂર કેમ નથી લગાવતા?” બીજાએ કહ્યું, “આ જગ્યાએ રેખા હોવી જોઈએ.” લોકો તેમના અંગત જીવનને લઈને પણ ટિપ્પણીઓ કરી રહ્યા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)