જેનિફર મિસ્ત્રી એ હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના નિર્માતાઓને આપી ચેતવણી, કવિતા સંભળાવી વ્યક્ત કર્યો ગુસ્સો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓ સાથે ચાલી રહેલા વિવાદ પર, જેનિફર મિસ્ત્રીએ હવે વીડિયો શેર કર્યો છે અને તેમને કવિતા સાથે જવાબ આપ્યો છે.

by Zalak Parikh
jennifer mistry warns taarak mehta ka ooltah chashmah makers from angry poem

News Continuous Bureau | Mumbai

 નાના પડદાનો ફેમસ ફેમિલી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફરી એકવાર વિવાદમાં ફસાઈ ગયો છે. આ શોમાં ‘રોશન ભાભી’નું પાત્ર ભજવનારી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ TMKOC નિર્માતાઓ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. અસિત મોદી સાથે બનેલી ચોંકાવનારી ઘટના ને સંભળાવતા તેણે બીજા ઘણા લોકોના નામ લીધા છે. તેના પર મેકર્સ તરફથી જવાબ પણ આવ્યો છે. તેણે જેનિફરના આરોપોને ખોટા અને ‘સસ્તો પ્રચાર’ ગણાવ્યા છે. તે જ સમયે, હવે જેનિફરે ફરીથી નિર્માતાઓ ની ક્લાસ લેતી જોવા મળી છે. અને તે પણ કવિતા દ્વારા.

 

જેનિફર મિસ્ત્રી એ શેર કર્યો વિડીયો

જેનિફર મિસ્ત્રીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ ઈન્સ્ટા રીલમાં જેનિફર લાલ સૂટ પહેરેલી જોવા મળે છે અને તેના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાય છે. તે એક કવિતા દ્વારા મેકર્સને ગુસ્સામાં જવાબ આપતી જોવા મળે છે. વીડિયોમાં તેણે મેકર્સને ચેતવણી આપતા કહ્યું- ‘મૌનને મારી નબળાઈ ન સમજો, હું ચૂપ રહી કારણ કે મારી પાસે શિષ્ટાચાર છે. ભગવાન સાક્ષી છે કે સત્ય શું છે… ભગવાન સાક્ષી છે કે સત્ય શું છે. યાદ રાખો કે તેના ઘરમાં તમારા અને મારામાં કોઈ તફાવત નથી. 

જેનિફરે કોઈ નું નામ લીધા વિના સાધ્યું નિશાન 

આ વીડિયો શેર કરતી વખતે જેનિફરે કેપ્શનમાં લખ્યું – ‘સત્ય બહાર આવશે અને ન્યાય ચોક્કસ મળશે’. તેણે આ વીડિયોમાં તારક મહેતાના નિર્માતાઓનું નામ નથી લીધું, પરંતુ તેની બોડી લેંગ્વેજથી સ્પષ્ટ છે કે તેનો ગુસ્સો કઈ તરફ છે. જણાવી દઈએ કે જેનિફર 15 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરી રહી છે. તેણે આ શોથી ડેબ્યૂ પણ કર્યું હતું.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More