જેઠાલાલ ‘તારક મહેતા’ ના અબ્દુલને આ નામ થી બોલાવે છે, શોના નિર્માતા સાથે છે ખાસ કનેક્શન; જાણો અબ્દુલ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 04 નવેમ્બર, 2021  

ગુરુવાર

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ નાના પડદાની સૌથી લાંબી ચાલતી સિરિયલ છે. દર્શકોની ફેવરિટ સિરિયલમાંથી એક આ સિરિયલ વિશે એવું કહેવામાં આવે છે કે કલાકારો વચ્ચેનું બોન્ડિંગ તેની સફળતાનું રહસ્ય છે. અભિનય સિવાય, સિરિયલમાં મોટાભાગના કલાકારો સાથે ખાય છે અને વાસ્તવિક પરિવાર કરતાં વધુ સમય સાથે વિતાવે છે. તેમની વચ્ચે એવું ટ્યુનિંગ છે કે તમામ કલાકારો એકબીજાની આદતો અને શોખથી પરિચિત છે. આ લોકપ્રિય કોમેડી શોમાં અબ્દુલનું પાત્ર શરદ સાંકલા ભજવે છે. છેલ્લા 25 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં રહેલા શરદ અને દિલીપ જોશી વચ્ચે ખૂબ જ મધુર અને રમુજી સંબંધ છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જેઠાલાલે તમામ કલાકારોની પોલ ખોલી હતી, જેમાં અબ્દુલ વિશે ખાસ વાતો પણ જાણવા મળી હતી.

શરદ સાંકલા વિશે દિલીપ જોશીએ કહ્યું હતું કે તે અબ્દુલને સેટ પર ‘ફિરતેરામ’ ના નામથી બોલાવે છે. આનું કારણ ખૂબ જ રમુજી છે, રેપિડ ફાયર સેશનમાં જેઠાલાલે ખુલાસો કર્યો હતો કે તેને હંમેશા અહીંથી ત્યાં જવાનું પસંદ છે. તેણે એ પણ કહ્યું કે દરેક શોટ સમયે શરદ સેટ પરથી ગાયબ થઈ જાય છે. ત્યારબાદ ટીમના તમામ સભ્યો તેમના માટે સર્ચ ઓપરેશન શરૂ કરે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તારક મહેતા શોના નિર્માતા અસિત કુમાર મોદી અને શરદ સાંકલા એકબીજાને વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે જાણે છે. કહેવાય છે કે બંને એક જ ક્લાસમાં ભણતા હતા અને હાઈસ્કૂલમાં બંને ખૂબ સારા મિત્રો હતા. અસિત મોદીએ શરદને આ શોમાં કામ કરવાની ઓફર કરી હતી પરંતુ એક નાનો રોલ હોવાના કારણે તેણે થોડો સમય માંગ્યો હતો. ત્યારબાદ શરદ અબ્દુલના પાત્ર માટે સંમત થયો અને આજે આ પાત્ર ઘર-ઘરમાં પ્રખ્યાત છે.

શાહરુખ ખાન ની મહિનાની કમાણી છે કરોડોમાં; જાણો તેની સંપત્તિ અને જીવનશૈલી વિશે

રિપોર્ટ્સ અનુસાર, શરદ સાંકલા એક એપિસોડ માટે 35 થી 40 હજાર રૂપિયા ચાર્જ કરે છે. સપનાની નગરી, મુંબઈમાં તેનું પોતાનું ઘર તો છે જ એટલું જ નહીં, તેને 2 રેસ્ટોરન્ટ પણ છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *