News Continuous Bureau | Mumbai
John abraham: જોન અબ્રાહમ તેની આગામી ફિલ્મ વેદા ને લઈને ચર્ચામા છે. હાલ જોન ફિલ્મ માં પ્રમોશન માં વ્યસ્ત છે આવી સ્થતિ માં જોન એ મીડિયા ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તે પાન મસાલા ની જાહેરાત કરવા વાળા અભિનેતા પર કટાક્ષ કર્યો હતો.તમને જણાવી દઈએ કે જોન તેની સ્વસ્થ જીવન શૈલી માટે જાણીતો છે.
આ સમાચાર પણ વાંચો: Raha kapoor: નાની સોની રાઝદાન સાથે સેર પર નીકળી રાહા કપૂર, રણબીર-આલિયા ની દીકરી ની ક્યુટનેસ એ જીત્યા ચાહકોના દિલ
જોન અબ્રાહમ એ પાન મસાલા ની જાહેરાત વિશે કરી વાત
એક પોડકાસ્ટ દરમિયાન જોન અબ્રાહમ એ કહ્યું, ‘જો હું મારું જીવન પ્રામાણિકપણે જીવીશ અને હું જે ઉપદેશ આપું છું તેનું પાલન કરું તો હું એક રોલ મોડલ છું, પરંતુ જો હું મારી જાતનું નકલી સંસ્કરણ લોકો સમક્ષ રજૂ કરું છું અને હું તેમની પીઠ પાછળ એક અલગ વ્યક્તિ જેવું વર્તન કરું છું. તેથી તેઓ તેને ઓળખી લેશે. લોકો ફિટનેસની વાતો કરે છે અને એ જ લોકો પાન મસાલાની જાહેરાત કરે છે. હું મારા બધા અભિનેતા મિત્રોને પ્રેમ કરું છું અને હું તેમાંથી કોઈનો પણ અનાદર કરતો નથી. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હું મારા વિશે વાત કરી રહ્યો છું, પરંતુ હું મૃત્યુને વેચીશ નહીં, કારણ કે તે સિદ્ધાંતની વાત છે.’
View this post on Instagram
જોન અબ્રાહમે પોતાની વાત આગળ વધારતા જણાવ્યું કે, ‘જે કંપનીઓ અને ઉત્પાદનો તેમને માઉથ ફ્રેશનર તરીકે વેચે છે તેને હું ક્યારેય સમર્થન આપીશ નહીં.’ આ સાથે જ્હોને પૂછ્યું, ‘શું તમે જાણો છો કે પાન મસાલા ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર 45,000 કરોડ રૂપિયા છે? મતલબ કે સરકાર પણ તેને સમર્થન આપી રહી છે અને તેથી તે ગેરકાયદેસર નથી. તમે મૃત્યુ વેચી રહ્યા છો. તમે આ સાથે કેવી રીતે જીવી શકો?’
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)