Site icon News Continuous Bureau | Mumbai

અક્ષય અને અમિતાભની ફિલ્મો થિયેટરમાં રિલીઝ થઈ, તો કંગના રનૌતની ફિલ્મ માટે થિયેટરોએ કેમ કર્યો ઇનકાર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 4 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

બૉલિવુડ અભિનેત્રી કંગના રાણાવતની ફિલ્મ 'થલાઇવી' રિલીઝ માટે તૈયાર છે, પરંતુ સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ કરવામાં કેટલીક મુશ્કેલીઓ હોવાનું જણાય છે. હવે આ સમગ્ર મામલે કંગનાએ મલ્ટિપ્લેક્સ માલિકો માટે એક પોસ્ટ શૅર કરી છે. 

કંગનાએ લખ્યું : કૃપા કરીને આ મુશ્કેલ સમયમાં એકબીજાને સપોર્ટ કરો. સિનેમાઘરોમાં કોઈ ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. એવી કેટલીક ફિલ્મો છે જે થિયેટરોમાં રિલીઝ થવાની સંભાવના ધરાવે છે. મારી ફિલ્મના નિર્માતા @vishnuinduriની જેમ @ashaileshrsingh ઘણું સમાધાન કરવાનું વિચારે છે અને થિયેટરોમાં ફિલ્મ રિલીઝ કરવાનું જોખમ લે છે. લોકોના સિનેમા પ્રત્યેના પ્રેમના કારણે જ આ શક્ય બન્યું છે. 

ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ અને સૌરવ ગાંગુલી બાદ હવે આ બૉલિવુડ કલાકારો જોવા મળશે KBC 13ના શાનદાર શુક્રવારના એપિસોડમાં; જાણો વિગત

અહેવાલો અનુસાર મલ્ટિપ્લેક્સના માલિકો ફિલ્મ રિલીઝ કરવામાં ડરે છે, કારણ કે તે કોવિડ-19 પ્રોટોકોલને અનુસરી રહ્યા છે. અક્ષયકુમાર સ્ટારર 'બેલ બૉટમ' અને અમિતાભ બચ્ચનની 'ચેહરે' જેવી તાજેતરની થિયેટર રિલીઝ દરમિયાન પણ આ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. જ્યારે 'થલાઇવી'ના નિર્માતાઓએ અગાઉ રોગચાળાની સ્થિતિને જોતાં પહેલાં ફિલ્મ OTT પર રજૂ કરવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં તેમણે થિયેટર માલિકોની શરતો સ્વીકારી. આ ફિલ્મ 10 સપ્ટેમ્બરે રિલીઝ થવાની જાહેરાત પણ કરવામાં આવી છે અને ફિલ્મનું બુકિંગ ટૂંક સમયમાં શરૂ થશે. હાલમાં, COVID-19ના કડક નિયમોને કારણે દેશભરમાં સિનેમાઘરોને 50% પ્રેક્ષકો સાથે ચલાવવાની મંજૂરી છે.

Mirzapur The Movie ‘મિર્ઝાપુર ધ મૂવી’ ને સેન્સર બોર્ડ તરફથી મળ્યું ‘A’ સર્ટિફિકેટ, ૩ કલાક ૧૭ મિનિટ છે ફિલ્મનો રનટાઇમ…
Mirzapur The Movie Advance Booking રિલીઝ પહેલાં જ ‘મિર્ઝાપુર ધ મૂર્વી’ ફિલ્મની જબરદસ્ત કમાણી, એડવાન્સ બુકિંગમાં વેચાયા હજારો ટિકિટો
Govinda Rise And Fall 2 ‘રાઈઝ એન્ડ ફોલ ૨’ શોમાં અભિનેતા ગોવિંદાની એન્ટ્રીની ચર્ચા, હોસ્ટ નહીં પરંતુ સ્પર્ધક તરીકે લેશે ભાગ
Salman Khan Bigg Boss 20 Fee બિગ બોસ ૨૦ માટે સલમાન ખાનને મળશે તગડી ફી, આંકડો જાણીને આંખો થઈ જશે પહોળી
Exit mobile version