Site icon News Continuous Bureau | Mumbai

અક્ષય અને અમિતાભની ફિલ્મો થિયેટરમાં રિલીઝ થઈ, તો કંગના રનૌતની ફિલ્મ માટે થિયેટરોએ કેમ કર્યો ઇનકાર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 4 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

બૉલિવુડ અભિનેત્રી કંગના રાણાવતની ફિલ્મ 'થલાઇવી' રિલીઝ માટે તૈયાર છે, પરંતુ સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ કરવામાં કેટલીક મુશ્કેલીઓ હોવાનું જણાય છે. હવે આ સમગ્ર મામલે કંગનાએ મલ્ટિપ્લેક્સ માલિકો માટે એક પોસ્ટ શૅર કરી છે. 

કંગનાએ લખ્યું : કૃપા કરીને આ મુશ્કેલ સમયમાં એકબીજાને સપોર્ટ કરો. સિનેમાઘરોમાં કોઈ ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. એવી કેટલીક ફિલ્મો છે જે થિયેટરોમાં રિલીઝ થવાની સંભાવના ધરાવે છે. મારી ફિલ્મના નિર્માતા @vishnuinduriની જેમ @ashaileshrsingh ઘણું સમાધાન કરવાનું વિચારે છે અને થિયેટરોમાં ફિલ્મ રિલીઝ કરવાનું જોખમ લે છે. લોકોના સિનેમા પ્રત્યેના પ્રેમના કારણે જ આ શક્ય બન્યું છે. 

ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ અને સૌરવ ગાંગુલી બાદ હવે આ બૉલિવુડ કલાકારો જોવા મળશે KBC 13ના શાનદાર શુક્રવારના એપિસોડમાં; જાણો વિગત

અહેવાલો અનુસાર મલ્ટિપ્લેક્સના માલિકો ફિલ્મ રિલીઝ કરવામાં ડરે છે, કારણ કે તે કોવિડ-19 પ્રોટોકોલને અનુસરી રહ્યા છે. અક્ષયકુમાર સ્ટારર 'બેલ બૉટમ' અને અમિતાભ બચ્ચનની 'ચેહરે' જેવી તાજેતરની થિયેટર રિલીઝ દરમિયાન પણ આ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. જ્યારે 'થલાઇવી'ના નિર્માતાઓએ અગાઉ રોગચાળાની સ્થિતિને જોતાં પહેલાં ફિલ્મ OTT પર રજૂ કરવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં તેમણે થિયેટર માલિકોની શરતો સ્વીકારી. આ ફિલ્મ 10 સપ્ટેમ્બરે રિલીઝ થવાની જાહેરાત પણ કરવામાં આવી છે અને ફિલ્મનું બુકિંગ ટૂંક સમયમાં શરૂ થશે. હાલમાં, COVID-19ના કડક નિયમોને કારણે દેશભરમાં સિનેમાઘરોને 50% પ્રેક્ષકો સાથે ચલાવવાની મંજૂરી છે.

SS Rajamouli’s Varanasi રાજામૌલીની ‘વારાણસી’માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ
Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Exit mobile version