News Continuous Bureau | Mumbai
Kangana ranaut: કંગના રનૌત તેની ફિલ્મ ઇમર્જન્સી ને લઈને ચર્ચામાં છે. કંગના ની ફિલ્મ 6 સપ્ટેમ્બર ના રોજ થિયેટર માં રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ પહેલા કંગના ને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જેને લઈને કંગના એ પોલીસ પાસે મદદ માંગી છે.
આ સમાચાર પણ વાંચો: Yeh rishta kya kehlata hai:યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં શું રોહિત નું થશે નિધન? સિરિયલ માં અરમાન ની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા રોહિત પુરોહિત એ જણાવી હકીકત
કંગના ને મળી જાનથી મારી નાખવાની ધમકી
સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ કહેતો જોવા મળી રહ્યો છે કે,’જો તમે આ ફિલ્મ (ઇમર્જન્સી) રિલીઝ કરશો તો સરદારો તમને થપ્પડ મારશે. લાફો તો તમે ખાઈ ચુક્યા છો.મને મારા દેશમાં ખૂબ જ વિશ્વાસ છે, હું એક ગર્વ ભારતીય છું, અને જો હું તમને આપણા દેશમાં, ખાસ કરીને મહારાષ્ટ્રમાં ક્યાંય પણ જોઉં, તો અમે અમારા હિન્દુ, ખ્રિસ્તી અને મુસ્લિમ ભાઈઓ સાથે ચપ્પલથી તમારું સ્વાગત કરીશું. ઇતિહાસ બદલી શકાતો નથી. જો મૂવી શીખોને આતંકવાદીઓ તરીકે દર્શાવે છે, તો યાદ રાખો કે તમે જે લોકોનું ચિત્રણ કરી રહ્યાં છો તેમનું શું થયું હતું. સતવંત સિંહ અને બિઅંત સિંહ કોણ હતા તે ભૂલશો નહીં. આપણે જાણીએ છીએ કે આપણી તરફ આંગળી ચીંધતી આંગળીને કેવી રીતે તોડવી… જો આપણે આપણા માથાનો ભોગ આપી શકીએ, તો આપણે પણ માથું કાપી પણ શકીએ છીએ.’
Please look in to this @DGPMaharashtra @himachalpolice @PunjabPoliceInd https://t.co/IAtJKIRvzI
— Kangana Ranaut (@KanganaTeam) August 26, 2024
આ વીડિયોને રીટ્વીટ કરીને અભિનેત્રીએ પોલીસ પાસે મદદ માંગી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માં કંગના ઇન્દિરા ગાંધી ના પાત્ર માં જોવા મળશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)