News Continuous Bureau | Mumbai
Kangana ranaut: કંગના રનૌત તેની સ્પષ્ટવક્તા માટે જાણીતી છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. બિલકિસ બાનો કેસના ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકીસ બાનો પર બળાત્કાર કરનાર અને તેના પરિવારની હત્યા કરનાર 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને ઉલટાવી દીધો.હવે કંગના રનૌતે ખુલાસો કર્યો છે કે તે આ સમગ્ર મુદ્દા પર ફિલ્મ બનાવવા માંગે છે.
બિલકિસ બાનો પર ફિલ્મ બનાવવા માંગે છે કંગના
કંગના રનૌત ને એક એક્સ(ટ્વીટર) યુઝરે લખ્યું, ‘ડિયર કંગના મેડમ, મહિલા સશક્તિકરણ માટેનો તમારો જુસ્સો ખૂબ જ પ્રોત્સાહક છે. શું તમને બિલ્કીસ બાનો ની વાર્તા શક્તિશાળી ફિલ્મ દ્વારા કહેવામાં રસ છે? શું તમે આ બિલકિસ બાનો, નારીવાદની બાબત તરીકે અથવા ઓછામાં ઓછી માનવતાની બાબત તરીકે કરશો?
I want to make that story I have the script ready, researched and worked on it for three years but @netflix , @amazonIN and other studios wrote back to me that they have clear guidelines they don’t do so called politically motivated films, @JioCinema said we don’t work with… https://t.co/xQeVfc3SyI
— Kangana Ranaut (@KanganaTeam) January 9, 2024
આના પર કંગના એ જવાબ આપ્યો, ‘મારે એ વાર્તા કરવી છે. મારી પાસે સ્ક્રિપ્ટ પણ તૈયાર છે. મેં આના પર ત્રણ વર્ષ સુધી સંશોધન અને કામ કર્યું છે. પરંતુ Netflix, Amazon Prime Video અને અન્ય સ્ટુડિયોની માર્ગદર્શિકા સ્પષ્ટ છે કે તેઓ આવી રાજકીય પ્રેરિત ફિલ્મો કરતા નથી. કંગનાએ એમ પણ કહ્યું કે ‘જિયો સિનેમાએ તેમને કહ્યું કે કંગના સરકારને સપોર્ટ કરે છે, તેથી તેઓ તેમની સાથે કામ કરતી નથી. અને જી હાલમાં મર્જરમાંથી પસાર થઈ રહ્યું છે. મારી પાસે કયા વિકલ્પો બાકી છે?’
આ સમાચાર પણ વાંચો : 12th fail: 12 મી ફેલ નો ચાલ્યો જાદુ, આ ફિલ્મો ને પાછળ છોડી બની IMDB ની રેટિંગ યાદીમાં ટોચ ની ફિલ્મ