Ranveer Singh Chamundeshwari Temple Visit। ‘કાંતારા’ વિવાદમાં નવો વળાંક, સુપરસ્ટાર રણવીર સિંહે મૈસૂરના ચામુંડેશ્વરી મંદિરમાં ટેકવ્યું માથું, જાણો વિગત

Ranveer Singh Chamundeshwari Temple Visit। ફિલ્મમાં 'દૈવા' ના સીનની મિમિક્રી કરવા બદલ નોંધાયેલી FIR કોર્ટે કરી રદ; એક્ટરની જાહેરમાં માફી બાદ શરતી દર્શનનો આપ્યો હતો નિર્દેશ

by Zalak Parikh
Ranveer Singh Chamundeshwari Temple Visit। 'કાંતારા' વિવાદમાં નવો વળાંક, સુપરસ્ટાર રણવીર સિંહે મૈસૂરના ચામુંડેશ્વરી મંદિરમાં ટેકવ્યું માથું, જાણો વિગત

 

News Continuous Bureau | Mumbai

Ranveer Singh Chamundeshwari Temple Visit। બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ હાલમાં પોતાની ફિલ્મો સિવાય એક મોટા કાયદાકીય વિવાદના કારણે ભારે ચર્ચામાં છે. સુપરહિટ કન્નડ ફિલ્મ ‘કાંતારા’ ના એક અત્યંત સંવેદનશીલ દ્રશ્યની મિમિક્રી (નકલ) કરવા બદલ અભિનેતા વિરૂદ્ધ ધાર્મિક લાગણી દુભાવવાનો કેસ નોંધાયો હતો. આ વિવાદમાં મોટી રાહત મેળવ્યા બાદ, કર્ણાટક હાઈકોર્ટની કાર્યવાહી અને કડક આદેશોના ભાગરૂપે રણવીર સિંહ મૈસૂરુમાં આવેલા પ્રખ્યાત શ્રી ચામુંડેશ્વરી મંદિરના દર્શને પહોંચ્યો હતો. મંદિર પરિસરમાંથી સામે આવેલી તસવીરોમાં રણવીર સિંહ હાથ જોડીને જમીન પર બેસી સંપૂર્ણ ભક્તિભાવમાં લીન જોવા મળ્યો હતો.

કર્ણાટક હાઈકોર્ટે રણવીર સિંહ સામેની FIR કરી રદ

આ સમગ્ર વિવાદની વિગતો એવી છે કે, રણવીર સિંહ દ્વારા ફિલ્મ ‘કાંતારા’ માં અભિનેતા ઋષભ શેટ્ટી દ્વારા ભજવવામાં આવેલા પવિત્ર ‘દૈવા’ (કોલા) ના સીનની નકલ કરવામાં આવી હતી, જેનાથી સ્થાનિક લોકો અને ભક્તો નારાજ થયા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલાની સુનાવણી કરતી વખતે કર્ણાટક હાઈકોર્ટે રણવીર સિંહ સામે નોંધાયેલી એફઆઈઆર (FIR) ને સત્તાવાર રીતે રદ કરી દીધી હતી. જો કે, એફઆઈઆર રદ કરવાની સાથે કોર્ટે રણવીર સિંહને આદેશ આપ્યો હતો કે તેણે મૈસૂરુના ચામુંડેશ્વરી મંદિરમાં જઈને દેવી સમક્ષ નતમસ્તક થઈને દર્શન કરવા પડશે.

મેં માત્ર ઋષભ શેટ્ટીના પર્ફોર્મન્સના વખાણ કર્યા હતા

આ કાયદાકીય એક્શન અને મંદિરની મુલાકાત પહેલાં રણવીર સિંહે સોશિયલ મીડિયા પર જાહેરમાં માફી માંગીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કર્યો હતો. તેણે પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, “મારો હેતુ ફિલ્મ ‘કાંતારા’ માં ઋષભ શેટ્ટીના શાનદાર અને અદભુત પર્ફોર્મન્સની પ્રશંસા કરવાનો હતો. એક કલાકાર હોવાના નાતે હું સારી રીતે સમજી શકું છું કે તે ચોક્કસ સીનને ભજવવા માટે કેટલી મહેનત અને સમર્પણની જરૂર પડે છે. મને તેમના કામ પ્રત્યે ખૂબ જ ઊંડો આદર છે અને હું ક્યારેય કોઈની આસ્થાને ઠેસ પહોંચાડવા નહોતો માંગતો.”

દેશની તમામ સંસ્કૃતિ અને પરંપરાઓનું સન્માન કરું છું

રણવીર સિંહે પોતાની માફીમાં આગળ ઉમેર્યું કે, “હું હંમેશા આપણા દેશની દરેક સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું હૃદયપૂર્વક સન્માન કરું છું. જો મારા કોઈ કૃત્ય કે શબ્દોથી કોઈની પણ ભાવનાઓ ઘવાઈ હોય, તો હું દિલથી માફી માંગું છું.” વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રણવીર સિંહ આ દિવસોમાં પોતાની આગામી એક્શન ફિલ્મ ‘ડોન ૩’ (Don 3) ના વિવાદો ઉપરાંત તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધુરંધર’ ફ્રેન્ચાઈઝીની બોક્સ ઓફિસ પર મેળવેલી મોટી સફળતાને કારણે પણ મીડિયામાં સતત છવાયેલો રહે છે.

👉 આ સમાચાર વાચો:
Dilip Joshi TMKOC।’તારક મહેતા’ ના જેઠાલાલ રિયલ લાઈફમાં કેટલું ભણેલા છે? જાણો દિલીપ જોશીની શૈક્ષણિક લાયકાત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More