શું કરણ જોહરે સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીને લગ્નની ભેટ તરીકે આપી 3 ફિલ્મો? ફિલ્મ નિર્માતાએ પોતે જણાવી હકીકત

karan johar denies reports signing kiara advani sidharth malhotra 3 film deal

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ આખરે તેમના લાંબા સમયથી ખાનગી સંબંધોને સત્તાવાર જાહેર કરી દીધા છે. સિદ્ધાર્થ અને કિયારા પતિ-પત્ની બની ગયા છે. આ કપલે 7 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં નજીકના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. બંનેના આ ખાસ દિવસે ફિલ્મમેકર કરણ જોહર પણ ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. તે જ સમયે, થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે કરણ જોહરે લગ્ન પછી સિદ અને કિયારાને ખાસ ભેટ આપી છે. એવું કહેવાય છે કે કરણ જોહરે તેની આગામી ત્રણ ફિલ્મો માટે સિદ અને કિયારાને સાઈન કર્યા છે. હવે ફિલ્મમેકરે પોતે આ અહેવાલો પાછળનું સત્ય જણાવ્યું છે.

 

કરણ જોહરે જણાવી હકીકત 

સિદ અને કિયારા ના લગ્ન પછીથી જ એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ સ્ટાર કપલ બહુ જલ્દી 3-3 ફિલ્મોમાં સાથે જોવા મળશે. એવા અહેવાલ હતા કે બંનેનો આ પ્રોજેક્ટ વરુણ ધવન અને આલિયા ભટ્ટની દુલ્હનિયા ફ્રેન્ચાઇઝી ની તર્જ પર હશે. જોકે, હવે કરણ જોહરે આ અહેવાલોને સદંતર ફગાવી દીધા છે. આ બાબતે એક મીડિયા હાઉસ  ને આપેલા ઈન્ટરવ્યુમાં ફિલ્મ નિર્માતાએ સ્પષ્ટ કર્યું છે કે આવી બધી વાતો બકવાસ છે. જ્યારે કરણ જોહરને પૂછવામાં આવ્યું કે શું કપલે આગામી ત્રણ ફિલ્મો માટે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે? આના પર પ્રતિક્રિયા આપતા કરણે કહ્યું, ‘બિલકુલ નહીં’.રિપોર્ટ અનુસાર, આ મામલે ધર્મા પ્રોડક્શન ના નજીકના સૂત્ર એ પણ આ સમાચારને માત્ર અફવા ગણાવી છે. સૂત્રએ કહ્યું, ‘સિદ અને કિયારા કરણ જોહરની ખૂબ નજીક છે. કરણ તેમને કોઈપણ કરારમાં બાંધવા માંગતો નથી. જો તેઓ તેને ફિલ્મ ઓફર કરે છે, તો દંપતી તે ફિલ્મ માટે ના કહેશે નહીં. સિદ અને કિયારા એ લગ્ન પહેલા ક્યારેય કરણ જોહર સાથે પૈસા કે કરાર વિશે વાત કરી નથી. એટલા માટે ડીલ પર હસ્તાક્ષર એ માત્ર અફવા સિવાય બીજું કંઈ નથી.

 

સિદ્ધાર્થ અને કિયારા છેલ્લે આ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા 

ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પહેલી અને છેલ્લી વાર ફિલ્મ ‘શેર શાહ’ માં સાથે જોવા મળ્યા હતા. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી એ ચાહકો નું દિલ જીતી લીધું હતું. તે જ સમયે, જ્યારે આ કપલ 3-3 ફિલ્મો માં એકસાથે  દેખાવા ના છે તે જાણી ને તેમના ચાહકોની ઉત્તેજના સાતમા આસમાને પહોંચી ગઈ હતી. જો કે, હવે કરણ જોહર અને ધર્મા પ્રોડક્શનના આ નિવેદન બાદ સ્પષ્ટ છે કે સિદ્ધાર્થ અને કિયારાને સ્ક્રીન પર એકસાથે જોવા માટે ચાહકોને થોડી રાહ જોવી પડશે.