કરોડો રૂપિયાની સંપત્તિની માલિક કરીના કપૂર, પરંતુ તેની માસી અંતિમ શ્વાસ સુધી રહી ભાડાના ઘરમાં, હતી પ્રસિદ્ધ અભિનેત્રી; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021

મંગળવાર

 

આજકાલ કરીના કપૂરે પોતાની ઍક્ટિંગથી લોકોનાં દિલ જીતી લીધાં છે. પૃથ્વીરાજ કપૂરને સંતાન રાજ કપૂર, શમ્મી કપૂર અને શશી કપૂર હતા. એ પછી રાજ કપૂરને બાળકો ઋષિ કપૂર, રાજીવ કપૂર, રણધીર કપૂર હતા. ઋષિ કપૂરનો પુત્ર રણબીર કપૂર બૉલિવુડના અગ્રણી કલાકારોમાંનો એક છે, જ્યારે રણધીર કપૂરની બે પુત્રીઓ કરીના કપૂર અને કરિશ્મા કપૂર પણ બૉલિવુડમાં હિટ છે. આ બંને બહેનોએ બૉલિવુડને ઘણી સારી ફિલ્મો આપી છે.

કરિશ્મા કપૂરે ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. જોકે કરીના કપૂરે ખુશીથી સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યાં છે. હવે આ ઘર સાથે જોડાયેલા લોકો પણ બૉલિવુડમાં ખૂબ ચર્ચામાં છે. જોકે કેટલીક અભિનેત્રીઓ એવી છે જેમને કાયમ માટે અવગણવામાં આવી છે. કરિશ્મા કપૂરની માતા બબિતા પણ એક પીઢ બૉલિવુડ અભિનેત્રી હતી. તેણે જૂના જમાનામાં ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આજે પણ કરિશ્મા અને કરીના સાથે રહે છે.

બહુ ઓછા લોકો જાણે છે કે બબિતાને એક પિતરાઈ બહેન હતી અને તે પિતરાઈ બહેનનું નામ સાધના હતું. સાધના બૉલિવુડની પીઢ અભિનેત્રી હતી. સાધનાએ જૂના જમાનામાં ઘણી હિટ ફિલ્મો કરી હતી. જોકે થોડીક ફિલ્મો કર્યા બાદ તેણે બૉલિવુડને કાયમ માટે છોડી દીધું. 

સાધનાનો જન્મ 12 સપ્ટેમ્બર, 1941ના રોજ થયો હતો. તેનો જન્મ કરાચી, પાકિસ્તાનમાં થયો હતો સાધનાએ 60 અને 70 ના દાયકામાં ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. સાધનાએ આશા ભોસલેનો બંગલો પણ ભાડે લીધો હતો. તે જૂના દિવસોમાં આ બંગલામાં રહેતી હતી. તેમને સૌપ્રથમ શશાધર મુખર્જીએ લૉન્ચ કરી હતી. તે પોતાના પુત્ર જૉય માટે ફિલ્મ બનાવવા માગતો હતો. આ જૉય પીઢ અભિનેતા જૉય મુખર્જી હતા. સાધના અને જૉયે પછી ‘લવ ઇન સિમલા’ નામની ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મ પણ હિટ રહી હતી. આ ફિલ્મનું નિર્દેશન રામકૃષ્ણ નાય્યરે કર્યું હતું. આ ફિલ્મ પછી સાધનાએ કેટલીક ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો.

મિલે જબ હમ તુમ : આવી હતી આ બૉલિવુડ કપલ્સની પહેલી મુલાકાત, જાણીને તમે હસી પડશો

જોકે આ ફિલ્મ સમયે સાધના માત્ર સોળ વર્ષની હતી અને રામકૃષ્ણ 22 વર્ષનો હતો. આ દરમિયાન બંનેને પ્રેમ થઈ ગયો. ત્યાર બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને પરિવારની પરવાનગી વગર લગ્ન કર્યાં. પીઢ અભિનેતા રાજ કપૂરે પણ આ માટે તેમની મદદ કરી હતી. સાધના ફિલ્મ ‘શ્રી 420’માં પણ જોવા મળી હતી. વળી, સાધનાએ સિંધી ફિલ્મ માટે માત્ર એક રૂપિયાનું માનદ વેતન લીધું હતું. 1995માં રામકૃષ્ણનું અવસાન થયું. એ પછી સાધના એકલી પડી ગઈ. 2015માં સાધનાનું પણ નિધન થયું. બહુ ઓછા લોકો જાણે છે કે અભિનેત્રી સાધના કરીના કપૂરની પિતરાઈ માસી હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More