ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જાન્યુઆરી 2022
શુક્રવાર
અલ્લુ અર્જુન સ્ટારર 'પુષ્પાઃ ધ રાઈઝ' એ હિન્દી બેલ્ટમાં લોકોના દિલ જીતવાની સાથે સાથે ઘણી કમાણી પણ કરી છે. આ સફળતાથી ખુશ, સુપરસ્ટાર અલ્લુ અર્જુન તેની બીજી હિટ ફિલ્મ 'અલા વૈકુંઠપુરમલો'નું હિન્દી વર્ઝન રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યો છે.તે જ સમયે, ફિલ્મના નિર્માતા અને અલ્લુ અર્જુનના પિતા બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન સાથે તેની હિન્દી રિમેકનું શૂટિંગ કરી રહ્યા છે. તે નથી ઇચ્છતા કે 'અલા વૈકુંઠપુરમલો'નું હિન્દી ડબ વર્ઝન કોઈ પણ સંજોગોમાં રિલીઝ થાય. આવી સ્થિતિમાં, ફિલ્મના નિર્માતા અલ્લુ અરવિંદ સાઉથ સુપરસ્ટાર ના હિન્દી ડબને રોકવા મુંબઈ પહોંચ્યા છે!
વાસ્તવ માં , અલ્લુ અરવિંદ (અલ્લુ અર્જુનના પિતા) પણ 'શહજાદા'ના નિર્માતા છે, જે 'અલા વૈકુંઠપુરમલો'ની હિન્દી રિમેક છે. 'શહજાદા'માં કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં કાર્તિકની સાથે કૃતિ સેનન પણ છે. એક મીડિયા હાઉસ અનુસાર , કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ શહઝાદા 'અલા વૈકુંઠપુરમલો'ની સત્તાવાર હિન્દી રિમેક છે.જેને ભૂષણ કુમાર અને અમન ગિલ સાથે અલ્લુ અરવિંદે પ્રોડ્યુસ કર્યો છે. આવી સ્થિતિમાં અલ્લુ અરવિંદ વિચારી રહ્યા છે કે જો 'અલા વૈકુંઠપુરમલો' હિન્દીમાં દર્શકો સામે આવશે તો દર્શકો આ વર્ષે રિલીઝ થનારી તેની ફિલ્મ શહજાદા જોવા માટે સિનેમા હોલમાં નહીં જાય. એટલા માટે તેઓ કોઈપણ કિંમતે ડબ કરેલ વર્ઝનને રોકવા માંગે છે.
મીડિયા માં પ્રકાશિત થયેલા એહવાલ અનુસાર, મનીષ ગિરીશ શાહ 'અલા વૈકુંઠપુરમલો'ના હિન્દી ડબ વર્ઝનના અધિકારો ધરાવે છે. રિપોર્ટ્સ અનુસાર, તેણે કહ્યું- 'હા, અમે 26 જાન્યુઆરીએ 'અલા વૈકુંઠપુરમલો'નું હિન્દી ડબ વર્ઝન રિલીઝ કરવા જઈ રહ્યા છીએ. જ્યારે શાહ પાસે હિન્દી વર્ઝન 'શહજાદા'ના રાઇટ્સ પણ છે. અને બંને તેને અલ્લુ અરવિંદે વેચી દીધા છે.તમને જણાવી દઈએ કે, અગાઉ એવી ખબર આવી હતી કે બોલિવૂડમાં 'અલા વૈકુંઠપુરમલો'નું ડબ વર્ઝન રિલીઝ થયા બાદ તેની હિન્દી રિમેક 'શહજાદા' પર મોટી ખરાબ અસર પડશે.હવે જોવું એ રહ્યું કે શું અલ્લુ અર્જુન ની ફિલ્મ 'અલા વૈકુંઠપુરમલો' નું હિન્દી વર્ઝન રિલીઝ થશે કે નહિ.