જાન્હવી કપૂર ની નારાજગી વહોરી લેવી કાર્તિક આર્યન ને પડી ભારે! ‘દોસ્તાના 2’ પછી આ ફિલ્મ પણ હાથમાંથી નીકળી; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 નવેમ્બર  2021

બુધવાર

રાજકુમાર રાવ અને જાન્હવી કપૂર ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મના નિર્માતા કરણ જોહરે સોશિયલ મીડિયા પર ફિલ્મની જાહેરાત કરી છે. ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ ને અગાઉ કાર્તિક આર્યનને ઓફર કરવામાં આવી હતી. જોકે, ‘દોસ્તાના 2’  સાથે આ ફિલ્મ પણ કાર્તિક આર્યનના હાથમાંથી સરકી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ કાર્તિક આર્યન અને જાહ્નવી કપૂર ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ માં જોડી બનાવવા જઈ રહ્યા હતા. એક વિશ્વસનીય સ્ત્રોત મુજબ, “દોસ્તાના 2 માંથી બહાર નીકળ્યા પછી મિસ્ટર અને મિસિસ માહી ફિલ્મમાંથી પણ બહાર નીકળી ગયા. અહેવાલો અનુસાર, જાહ્નવી કપૂર અને કાર્તિક આર્યનની મિત્રતા પણ આ વર્ષે જાન્યુઆરીમાં તૂટી ગઈ હતી. આ પછી જાહ્નવીએ કાર્તિક આર્યન સાથેનો તમામ સંપર્ક કાપી નાખ્યો.

મીડિયા રિપોર્ટ્સ ના અહેવાલ મુજબ, કાર્તિક આર્યન તારીખોને લઈને વિલંબ કરી રહ્યો હતો. આ કારણે ફિલ્મનું શૂટિંગ સતત સ્થગિત કરવામાં આવ્યું હતું. કાર્તિક આર્યનના ઉદ્ધત વલણને કારણે કરણ જોહરે તેને ફિલ્મમાંથી કાઢી મૂક્યો હતો. દોસ્તાના ફિલ્મનું 60 ટકા શૂટિંગ થઈ ગયું હતું. તેમજ, ફિલ્મમાં કેટલાંક કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

‘બૈજુ બાવરા’ ફિલ્મમાં કામ કરવા માટે દીપિકા પાદુકોણ-આલિયા ભટ્ટ વચ્ચે થઈ ટક્કર, પરંતુ આ હિરોઈન છે મેકર્સની પહેલી પસંદ; જાણો વિગત

રાજકુમાર રાવ અને જાન્હવી કપૂરની ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ એક સ્પોર્ટ્સ ડ્રામા હશે. આ ફિલ્મનું નિર્દેશન ગુંજન સક્સેના દિગ્દર્શક શરણ શર્મા કરી રહ્યા છે. રૂહી પછી રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂરની આ બીજી ફિલ્મ હશે. ફિલ્મમાં રાજકુમાર રાવ 'મહેન્દ્ર'ના રોલમાં અને જાહ્નવી કપૂર 'મહિમા'ના રોલમાં જોવા મળશે. બંને કલાકારો ટૂંક સમયમાં આ ફિલ્મ માટે  ક્રિકેટની પ્રેક્ટિસ કરતા જોવા મળશે. આ ફિલ્મ 7 ઓક્ટોબર 2022ના રોજ રિલીઝ થશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More