News Continuous Bureau | Mumbai
ગુજરાતમાં ખજુરભાઈને કોણ નથી ઓળખતું. સોશિયલ મીડિયા પર ફેમસ થયેલા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાનીની વિદેશમાં સેવાના વખાણ થઈ રહ્યા છે. તેથી જ તેઓને ગુજરાતનું સોનું કહેવામાં આવે છે. ત્યારે ખજુરભાઈએ પોતાની સગાઈની તસવીરો શેર કરીને ચાહકોને ખુશ કરી દીધા છે.

તેની સગાઈ મીનાક્ષી દવે નામની સુંદર છોકરી સાથે થઈ છે. ત્યારે ખજુરભાઈની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ખજુરભાઈ સોશિયલ મીડિયાનો લોકપ્રિય ચહેરો છે, અને ગુજરાતમાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે છે. ખજુરભાઈના મંગેતર કોણ છે તે જાણવામાં લોકોને રસ છે. તો તમને જણાવી દઈએ કે ખજુરભાઈએ સગાઈની તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
આ સમાચાર પણ વાંચો: પરેશ રાવલ સામે FIR, બંગાળી વિરોધી ગુજરાતમાં ભાષણ દરમિયાન કરી હતી ટિપ્પણી, ભારે પડી
બારડોલીમાં તેમની સગાઈ થઈ. તેની મંગેતરનું નામ મીનાક્ષી દવે છે અને તે વ્યવસાયે ગાયિકા તરીકે જાણીતી છે.
Join Our WhatsApp Community