News Continuous Bureau | Mumbai
Kiran rao and Aamir khan: કિરણ રાવ તેની ફિલ્મ ‘લપતા લેડીઝ’ ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ને દર્શકો અને વિવેચકો તરફ થઈ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મની વાર્તા લગ્નની આસપાસ ફરે છે અને કિરણ રાવે પણ હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેના લગ્ન વિશે કેટલીક વાતો શેર કરી છે. આ સાથે જ તેને કોના દબાવ માં આવી ને લગ્ન કર્યા હતા તે પણ જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: Yami Gautam Baby : યામી ગૌતમ બની માતા, અભિનેત્રીએ પુત્રને આપ્યો જન્મ; નામનું કનેક્શન છે સીધું વેદો સાથે..
કિરણ રાવે તેના અને આમિર ખાન ના લગ્ન વિશે કર્યો ખુલાસો
કિરણ રાવે હાલમાંજ એક મીડિયા ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને તેના લગ્ન વિશે પૂછવામાં આવ્યું હતું જેના જવાબ માં કિરણ રાવે કહ્યું, ‘આમિર અને હું લગ્ન પહેલા એક વર્ષ સુધી સાથે રહેતા હતા અને સાચું કહું તો અમારા માતા-પિતાના કારણે અમે લગ્ન કર્યા છે. તે સમયે પણ અમે જાણતા હતા કે લગ્ન એ એક સારી ઇન્સ્ટિટ્યૂશન છે આ સાથે જ તમે આ ઇન્સ્ટિટ્યૂશન માં વ્યક્તિગત તેમજ દંપતી તરીકે કામ કરી શકો.મને લાગે છે કે લગ્નથી તમને ઘણી સારી વસ્તુઓ મળે છે. લગ્ન તમને એક નવો પરિવાર આપે છે. આ તમને સંબંધો આપે છે અને સુરક્ષા અને સ્થિરતા પણ લાવે છે.’
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, કિરણ રાવ અને આમિર ખાન ના લગ્ન વર્ષ 2005માં થયા હતા. ત્યરબાદ વર્ષ 2021માં બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. જો કે આ બંને ઘણીવાર ઘણા પ્રસંગોએ સાથે જોવા મળે છે. બંને વચ્ચે હજુ પણ સારી મિત્રતા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)