બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માં શોક ની લહેર-પ્રખ્યાત ગાયક કેકે નું હાર્ટ એટેકથી થયું નિધન- PM મોદી અમિત શાહ સહિત આ હસ્તીઓએ વ્યક્ત કર્યો શોક

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai 

દેશના લોકપ્રિય ગાયકોમાંના એક કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નાથનું (KK death)53 વર્ષની વયે નિધન થયું છે. સિંગર કોલકાતાની(Kolkata) વિવેકાનંદ કોલેજમાં (vivekanand college)પરફોર્મ કરવા ગયો હતો. જ્યાં કોન્સર્ટ પછી તેમની તબિયત અચાનક બગડી હતી, ત્યારબાદ તેમને દક્ષિણ કોલકાતાની સીએમઆરઆઈ હોસ્પિટલમાં(CMRI hospital) લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કેકેના નિધન પર બોલિવૂડ સેલેબ્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તે જ સમયે, સિંગરે તેના મૃત્યુ પહેલા સોશિયલ મીડિયા (social media)પર તેના છેલ્લા પ્રદર્શનની તસવીરો પણ શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

સિંગર કેકેએ તેના અંતિમ પરફોર્મન્સ બાદ કેટલાક ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તસવીરોમાં સિંગર ગીત ગાતો જોવા મળી રહ્યો છે. કેકેએ આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, 'આજે રાત્રે નઝરુલ સ્ટેજ પર ગીગ ડાન્સિંગ. વિવેકાનંદ કોલેજ(vivekananda college) !! તમને સૌને પ્રેમ કરું છુ".સ્ટેજની પાછળથી ક્લિક કરાયેલી આ તસવીરોમાં કેકે હાથમાં માઈક લઈને સ્ટેજ પર ચાલતા અને પછી હાથ ઊંચા કરીને કેમેરા તરફ ઈશારો કરતા જોઈ શકાય છે.કેકેના આકસ્મિક અવસાનથી દરેક આઘાતમાં છે, ત્યારે ચાહકો કહે છે કે તે કેટલો ફિટ હતો, તો પછી આવું કેવી રીતે થઈ શકે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેકેનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી (cardiac arrest)થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે કેકે લાઈવ પરફોર્મ(live perform) કરી રહ્યા હતા ત્યારે તેમને સ્ટ્રોક આવ્યો હતો. જે બાદ તેને કોલકાતા મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. કેકેનો પરિવાર સવારે કોલકાતા (Kolkata)પહોંચશે. જે બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : શું ભૂલ ભુલૈયા 2 ની સફળતા બાદ કાર્તિક આર્યને પોતાની ફીમાં કર્યો વધારો અભિનેતાએ જણાવી હકીકત

કેકેએ વર્ષ 1999 માં તેનું પ્રથમ આલ્બમ, ‘પલ ‘(KK album Pal) રજૂ કર્યું. તેણે બોલિવૂડમાં ઘણા હિટ ગીતો આપ્યા છે. જેમાં તડપ તડપ (Hum dil de chuke sanam, 1999), દસ બહાને (Dus, 2005), અને તુને મારી એન્ટ્રીયા (Gunday, 2014) જેવી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. કેકેનું પૂરું નામ કૃષ્ણકુમાર કુનાથ છે, જેનો જન્મ વર્ષ 1968માં દિલ્હીમાં (Delhi)થયો હતો. ગાયકના મૃત્યુ બાદ સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ હતું. પીએમ મોદીથી (PM Modi)લઈને અક્ષય કુમાર અને સંગીત જગતના અન્ય ઘણા લોકોએ જેમ કે સોનુ નિગમ, હર્ષદીપ કૌર અને વિશાલ દદલાનીએ શોક અને આઘાત વ્યક્ત કર્યો હતો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More