Site icon

રાકેશ રોશનને માંદગીને કારણે ટાલ પડી નથી, જાણો તેમના માથા પર એક પણ વાળ ન હોવા પાછળનું સાચું કારણ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

 

બૉલિવુડ સુપરસ્ટાર હૃતિક રોશનના પિતા રાકેશ રોશન તેમના સમયના પ્રખ્યાત અભિનેતા રહ્યા છે. અભિનય પછી તેમણે દિગ્દર્શનમાં પોતાનું નસીબ અજમાવ્યું. હવે તેઓ બૉલિવુડના પ્રખ્યાત દિગ્દર્શક છે. તેમણે બૉલિવૂડમાં ઘણી ફિલ્મો આપી છે. ‘કરણ અર્જુન’, ‘કોઈ મિલ ગયા’,’ ક્રિશ’,’ ક્રિશ 2’, ‘કોયલા’, ‘ખુદગર્જ’  જેવી તમામ સુપરહિટ ફિલ્મો તેમના નામે નોંધાયેલી છે. 

6 સપ્ટેમ્બર, 1949ના રોજ મુંબઈમાં જન્મેલા રાકેશ રોશન આજે પોતાનો જન્મદિવસ ઊજવી રહ્યા છે. આ પ્રસંગે અમે તમને તેમની સાથે સંબંધિત એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. તમે જોયું હશે કે રાકેશ રોશન તેમના માથા પર એક પણ વાળ રાખતા નથી. જો તમે વિચારી રહ્યા છો કે વધતી જતી ઉંમર સાથે તેમના વાળ ખર્યા છે, તો એવું બિલકુલ નથી. આવું કરવા પાછળ એક મોટું કારણ છે. ચાલો, જાણીએ કે તે ક્યારેય તેમના માથા પર વાળ કેમ રાખતા નથી.

આ મામલો વર્ષ 1987નો છે, જ્યારે રાકેશ રોશને પહેલી વખત દિગ્દર્શક તરીકે કામ કર્યું. તેમણે ફિલ્મ 'ખુદગર્જ'નું નિર્દેશન કર્યું. આ ફિલ્મની રજૂઆત પહેલાં રાકેશ તિરુપતિ બાલાજી પાસે ગયા અને તેમની ફિલ્મની સફળતા માટે વ્રત માગ્યું. વ્રત માગતી વખતે તેમણે કહ્યું હતું કે જો ફિલ્મ સફળ થશે તો તે તિરુપતિ આવશે અને તેમના વાળનું દાન કરશે. 31 જુલાઈ, 1987ના તેમની ફિલ્મ 'ખુદગર્જ' રિલીઝ થઈ અને બૉક્સ ઑફિસ પર સુપરહિટ બની. જોકે એ પછી તેમનું મન બદલવાનું શરૂ થયું અને તેઓ ટાલ પડવાથી દૂર જવાનું શરૂ કર્યું. એટલું જ નહીં તે પોતાનું વ્રત ભૂલી ગયા અને પોતાનું વ્રત પૂરું કર્યું નહીં, પરંતુ તેમની પત્ની પિંકી તેમના વ્રત વિશે જાણતી હતી. તે રાકેશ રોશનને સમયાંતરે તેમના વ્રત વિશે યાદ કરાવતી હતી.

રાકેશ રોશન તિરુપતિ બાલાજી પાસે ગયા અને તેમના વાળ કપાવ્યા, પરંતુ વાળનું દાન કરવા સાથે તેમણે પ્રતિજ્ઞા લીધી કે તેઓ ક્યારેય તેમના માથા પર વાળ નહીં રાખે. આ સાથે રાકેશની સફળતાની ગાથા પણ શરૂ થઈ. એ પછી તેમની તમામ ફિલ્મો હિટ બની. દિગ્દર્શક તરીકે રાકેશ રોશનની સફળતાની વાર્તા અહીંથી શરૂ થઈ.

હિના ખાન આ સાઉથના સ્ટાર સાથે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં કરવા જઈ રહી છે ડેબ્યૂ, સંપૂર્ણ વિગતો વાંચો અહીં

રાકેશે હૃતિક રોશન સાથે ક્રિશ ફ્રેન્ચાઇઝીની ચોથી ફિલ્મ 'ક્રિશ 4' પર કામ કરી રહ્યા છે. જેનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. તેમની ફિલ્મી કારકિર્દીમાં પણ રાકેશે ‘આખિર ક્યું ?’, ‘શ્રીમાન શ્રીમતી’, ‘હોટલ’, ‘ખૂન ભરી માંગ’ વગેરે જેવી મહાન ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Indian Idol 3 Winner Prashant Tamang Passes Away: પહાડોનો અવાજ શાંત થયો! પ્રશાંત તમાંગના નિધનથી દેશભરમાં શોક, પત્નીએ ખોલ્યું સિંગરના અચાનક વિદાયનું રહસ્ય
Toxic: યશની ‘ટોક્સિક’ ના ટીઝરથી મચ્યો હંગામો! બોલ્ડ સીન્સ જોઈ મહિલાઓ લાલઘૂમ, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
Exit mobile version