Koffee with karan 8: કોફી વિથ કરણ 8 માં નીતુ કપૂરે કર્યા ઘણા ખુલાસા, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ને આપવા માંગે છે આ સલાહ

Koffee with karan 8: કોફી વિથ કરણ ના લેટેસ્ટ એપિસોડ માં નીતુ કપૂર અને ઝીનત અમાન જોવા મળશે. આ દરમિયાન નીતુ અને ઝીનતે ઘણા ખુલાસા કર્યા હતા. નીતુ કપૂરે તેના દીકરા અને વહુ એટલે કે રણબીર અને આલિયા ને એક સલાહ આપવા માંગે છે જેનો ખુલાસો તેને આ શો દરમિયાન કર્યો હતો.

by Zalak Parikh
koffee with karan 8 neetu kapoor wants ranbir and alia to follow this thing

News Continuous Bureau | Mumbai

Koffee with karan 8: કોફી વિથ કરણ નો આગામી એપિસોડ ખુબ રસપ્રદ બનવાનો છે. આ એપિસોડ માં બોલિવૂડ ની બે દિગ્ગ્જ અભિનેત્રીઓ નીતુ કપૂર અને ઝીનત અમાન આવવાના છે. કોફી વિથ કરણ માં જ્યાં બંને અભિનેત્રીઓએ દિલ ખોલીને વાત કરી હતી. આ દરમિયાન નીતુ કપૂરે એ પણ જણાવ્યું કે તે તેના પુત્ર રણબીર કપૂર અને તેની પત્ની આલિયા ભટ્ટને શું સલાહ આપવા માંગે છે.

આ સમાચાર પણ વાંચો : Kangana ranaut: બિલકિસ બાનો પર ફિલ્મ બનાવવા માંગે છે કંગના રનૌત,સ્ક્રીપ્ટ છે તૈયાર પરંતુ સામે આવી રહી છે આ મુશ્કેલી

નીતુ કપૂર આપવા માંગે છે રણબીર આલિયા ને સલાહ 

કોફી વિથ કરણ 8 ના રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન કરણ જોહરે નીતુ કપૂર ને કહ્યું કે, તે રિશી કપૂર સાથેના લગ્નની એક વાત શેર કરે અને તે ઈચ્છે છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેને અપનાવે. સમય બગાડ્યા વિના નીતુ કપૂર એ કરણ ને કટાક્ષ કરતા કહ્યું, ‘કંઈ નહીં.’ આ પછી તેણે કહ્યું, ‘કારણ કે આજના સમયમાં તમે જે ઈચ્છો તે કરો, બસ ખુશ રહો. ઉપરાંત, દરેક પેઢી અલગ છે. હું તેમની પાસેથી એવી અપેક્ષા રાખી શકતો નથી કે હું જેમાંથી પસાર થઇ તેમાંથી તે પણ થાય તેથી, તેઓ તેમની લાગણીઓ જાણે છે.’

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More