News Continuous Bureau | Mumbai
Kriti kharbanda and Pulkit samrat: લાંબા સમયથી એકબીજા ને ડેટ કર્યા બાદ કૃતિ અને પુલકિત લગ્ન ના બંધન માં બંધાશે. હાલમાં જ બંનેના લગ્નનું કાર્ડ લીક થયું હતું, જે બાદ એ વાતની પુષ્ટિ થઈ છે કે બંને લગ્ન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. કપલ ના લગ્ન ની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. આ બધા ની વચ્ચે કપલના લગ્નના સ્થળની વિગતો પણ સામે આવી છે.
આ સમાચાર પણ વાંચો : Salman khan: સલમાન ખાન નો ચઢ્યો પારો, ફેન ની આ હરકત પર ગુસ્સે થયો ભાઈજાન
કૃતિ અને પુલકિત ના લગ્ન નું સ્થળ
મીડિયા રિપોર્ટ મુજબ પુલકિત અને કૃતિના લગ્ન હરિયાણાના માનેસરમાં અરવલ્લીની પહાડીઓની વચ્ચે આવેલા ITC ગ્રાન્ડ ભારત પેલેસમાં થશે. આ લગ્ન ખાનગી હશે જેમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજરી આપશે. એવા પણ અહેવાલ છે કે કૃતિ અને પુલકિત મુંબઈમાં કોઈ રિસેપ્શન યોજવાના નથી. તેમના તમામ ફંક્શન માનેસરમાં જ યોજાશે. રિસોર્ટ વિશે વાત કરીએ, તો તે અરવલ્લી રેન્જમાં આવેલું છે. અહીંથી પ્રકૃતિનો ખૂબ જ સુંદર નજારો દેખાય છે. અહીં તમને ઘણા મોર પણ જોવા મળશે. રિસોર્ટમાં 4 પ્રેસિડેન્શિયલ વિલા અને ખાનગી પૂલ સાથે 100 ડીલક્સ સ્યુટનો સમાવેશ થાય છે. આ સિવાય અહીં ગોલ્ફ કોર્સ, લક્ઝુરિયસ સ્પા વગેરે જેવી ઘણી સુવિધાઓ છે. આ ITC ગ્રાન્ડ ભારત હોટેલમાં પુલકિત અને કૃતિના આ પ્રથમ સેલિબ્રિટી લગ્ન છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, કૃતિ અને પુલકિત સમ્રાટ નો જન્મ અને ઉછેર દિલ્હી એનસીઆરમાં થયો હતો. તેથી પુલકિત અને કૃતિએ આ સ્થળ પસંદ કર્યું છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)