News Continuous Bureau | Mumbai
KSBKBT 2 Spoiler। સ્ટાર પ્લસની સુપરહિટ સિરિયલ ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી 2’ ના આવનારા એપિસોડ્સમાં દર્શકોને મોટા આંચકા લાગવાના છે. એક તરફ મિહિર અને તુલસી ફરી એકવાર મંદિરના સાક્ષીએ લગ્નગ્રંથિથી જોડાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ શાંતિનિકેતનમાં અંશ વીરાણીના દીકરા રિયાંશ (રિયો) નું આગમન થવાનું છે.
રિયાંશ શોધશે તેના પિતાનું સત્ય
રિયાંશને જાણવા મળે છે કે કરણના માતા-પિતા એટલે કે તેના દાદા-દાદી (મિહિર અને તુલસી) ના લગ્ન થઈ રહ્યા છે. તે કરણને પોતાના પિતા વિશે અને આખા પરિવાર વિશે સવાલ કરે છે. કરણ તેને બધું જણાવવાનું ટાળે છે, પરંતુ રિયાંશ હવે જીદ પર અડ્યો છે. તે પોતાના પિતા અંશ વીરાણીનું સત્ય જાણવા માટે શાંતિનિકેતનમાં પગ મૂકશે. રિયાંશને જોઈને તુલસી સ્તબ્ધ થઈ જશે કારણ કે તેનો ચહેરો તેને અંશની યાદ અપાવશે.
શું રિયાંશ તુલસી સામે વેર લેશે?
રિયાંશ જ્યારે શાંતિનિકેતન પહોંચશે ત્યારે તેની સામે અનેક રહસ્યો ખુલશે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું રિયાંશને ખબર પડશે કે તેના પિતા અંશને ખુદ તુલસીએ જ ગોળી મારી હતી? જો આ સત્ય તેની સામે આવશે તો શું તે પોતાની દાદી તુલસી સામે વેર લેશે? આ ટ્વિસ્ટ શોમાં એક નવો વળાંક લાવશે અને વીરાણી પરિવારની ખુશીઓમાં ખલેલ પાડશે.
પરી પર લાગ્યો મર્ડરનો આરોપ
શાંતિનિકેતનમાં માત્ર રિયાંશ જ નહીં, પણ મિહિરની દીકરી પરી પણ મુસીબતમાં મુકાશે. પરીએ રણવિજય વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી, પરંતુ ત્યારબાદ અચાનક રણવિજયની હત્યા થઈ જાય છે અને તેનો આરોપ પરી પર લાગે છે. પોલીસ પરીની ધરપકડ કરવા શાંતિનિકેતન પહોંચશે. હવે જોવાનું એ રહેશે કે તુલસી આ મુસીબતોમાંથી પોતાના પરિવાર અને દીકરીને કેવી રીતે બચાવે છે.
👉 આ સમાચાર વાચો:
Salman Khan Weight Loss| ઉંમર તો માત્ર એક આંકડો છે! સલમાન ખાને ૬૦ વર્ષની વયે બનાવી એવી બોડી કે યુવા કલાકારો પણ શરમાઈ જશે, નવો લૂક વાયરલ