‘નાગિન 6’માં કુંડલી ભાગ્યના આ હેન્ડસમ હંકની થઈ એન્ટ્રી!!જાણો કોણ છે તે અભિનેતા

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ફેબ્રુઆરી 2022        

મંગળવાર

 

'બિગ બોસ 15'ના અંત પછી, હવે 'નાગિન 6' ટીવી પર  પુનરાગમન કરવા માટે તૈયાર છે. 'નાગિન 6'ને હિટ બનાવવા માટે નિર્માતાઓ સખત પરસેવો પાડી રહ્યા છે, જ્યારે શોના મુખ્ય કલાકારો તેજસ્વી પ્રકાશ અને સિમ્બા નાગપાલે પણ 'નાગિન 6'નું શૂટિંગ શરૂ કરી દીધું છે.'નાગિન 6'નું શૂટિંગ શરૂ થતાંની સાથે જ શોની કાસ્ટ પરથી પડદો હટાવવામાં આવ્યો છે. હાલમાં જ સમાચાર આવ્યા છે કે સીરિયલ 'કુંડલી ભાગ્ય'નો એક સ્ટાર પણ 'નાગિન 6'માં એન્ટ્રી કરી ચૂક્યો છે. અહીં અમે ટીવી એક્ટર મનિત જૌરા વિશે વાત કરી રહ્યા છીએ, જેણે કુંડલી ભાગ્ય સિરિયલમાં રિષભની ભૂમિકા ભજવી હતી, જે ટૂંક સમયમાં 'નાગિન 6'માં જોવા મળશે.

એક ન્યૂઝ પોર્ટલ ના એક રિપોર્ટ અનુસાર, મનિત જૌરા 'નાગિન 6'નો ભાગ બનવા જઈ રહ્યો છે. અભિનેતા  'નાગિન 6'માં કોલેજના પ્રોફેસરની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. મનિત જૌરા વિશેના આ ખુલાસા બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે તેજસ્વી પ્રકાશ 'નાગિન 6'માં કોલેજ ગર્લના રોલમાં જોવા મળશે. તે જ સમયે, 'નાગિન 6'માં એન્ટ્રી બાદ, મનિત જૌરાના ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો છે. અભિનેતા ને  'નાગિન 6'માં જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

લતા મંગેશકરે આ કારણે મોહમ્મદ રફી સાથે ગાવાનું કરી દીધું હતું બંધ, જાણો શું હતો કિસ્સો

સિરિયલ 'કુંડલી ભાગ્ય'માંથી મનિત જૌરાનો પત્તા સાફ થઈ ગયા બાદ તેના ચાહકો બિલકુલ ખુશ નહોતા. થોડા સમય પહેલા મનિત જૌરાએ સિરિયલ 'કુંડલી ભાગ્ય'ને અલવિદા કહી દીધું છે. મનિત જૌરા સિવાય બીજા ઘણા સ્ટાર્સ 'નાગિન 6' માં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. આ યાદીમાં ઉર્વશી ધોળકિયા, સુધા ચંદ્રન, મહેક ચહલ, દેબનિતા બેનર્જી અને માનસી અરોરાના નામ સામેલ છે.ઉર્વશી ધોળકિયાએ થોડા સમય પહેલા 'નાગિન 6'નું શૂટિંગ શરૂ કર્યું છે. તે 'નાગિન 6'ના સેટ પર પોઝ આપતી જોવા મળી હતી. માનવામાં આવે છે કે ઉર્વશી ધોળકિયા 'નાગિન 6'માં નેગેટિવ પાત્ર ભજવતી જોવા મળશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More