Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2: મિહિર-તુલસીનો પુત્ર બનશે શાંતિનિકેતનના પતનનું કારણ, ફરી તૂટશે નંદિનીનું દિલ

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| શોમાં તાન્યાની વાપસીથી કરણ અને નંદિનીના સંબંધોમાં આવશે તિરાડ; કરણના સિક્રેટ અફેરના ખુલાસાથી તુલસી પણ ચોંકી જશે.

by Zalak Parikh
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Karan-Nandini's Divorce Drama Begins; Will Tanya’s Return Cause Shantiniketan’s Downfall

News Continuous Bureau | Mumbai

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| એકતા કપૂરનો અત્યંત લોકપ્રિય શો ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ નો રીબૂટ વર્ઝન હાલમાં ટીઆરપી ચાર્ટમાં પ્રથમ સ્થાને છે. શોમાં બરખા બિષ્ટની એક્ઝિટ બાદ હવે નવી એન્ટ્રી સાથે જબરદસ્ત ડ્રામા શરૂ થવા જઈ રહ્યો છે. મિહિર અને તુલસીના પુત્ર કરણની જિંદગીમાં આવેલા ભૂકંપને કારણે સમગ્ર શાંતિનિકેતન પરિવારમાં હલચલ મચી ગઈ છે. આગામી એપિસોડમાં જોવા મળશે કે કેવી રીતે ઘરનો પુત્ર જ પરિવારના પતનનું કારણ બની શકે છે.

 કરણના સિક્રેટ અફેરથી મચશે હોબાળો

 આગામી ટ્રેકમાં જોવા મળશે કે નંદિનીને કરણ પર શંકા જાય છે. કરણ નંદિનીનો શંકા દૂર કરવા માટે માલાબાર હિલ્સમાં ઘર ખરીદવાની વાત કરે છે, પરંતુ નંદિની આ વાતથી સંતુષ્ટ નથી. તેને લાગે છે કે કરણ તેનાથી કંઈક મોટું સત્ય છુપાવી રહ્યો છે. આ શંકા ત્યારે હકીકતમાં ફેરવાય છે જ્યારે નંદિની તુલસીને કરણના સિક્રેટ અફેર વિશે જણાવે છે. તુલસી પહેલા તો વિશ્વાસ નથી કરતી, પરંતુ કરણના વર્તનમાં આવેલા ફેરફાર જોઈને તે પણ ચિંતિત થઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by StarPlus (@starplus)

કરણ અને નંદિનીના છૂટાછેડાની નોબત

જ્યારે કરણને લાગે છે કે નંદિનીનો તેના પરથી ભરોસો ઉઠી ગયો છે, ત્યારે તે હતાશ થઈને અલગ થવાનો નિર્ણય લે છે. બંને વચ્ચે વધતી જતી આ દૂરી છૂટાછેડા (Divorce) સુધી પહોંચી શકે છે. તુલસી આ બંનેને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પરિસ્થિતિ ત્યારે વણસે છે જ્યારે ભૂતકાળમાંથી કોઈ વ્યક્તિ ફરી પાછી આવે છે. આ વ્યક્તિ કરણ અને નંદિનીની જિંદગી બરબાદ કરવાની ધમકી આપી રહી છે, જેના કારણે પરિવારમાં ગભરાટ ફેલાયો છે.

તાન્યાની વાપસી અને શાંતિનિકેતનમાં તોફાન

શોમાં સૌથી મોટો ટ્વિસ્ટ તાન્યાની એન્ટ્રી સાથે આવશે. અત્યાર સુધી જેને મૃત માનવામાં આવતી હતી તે તાન્યા હવે પાછી ફરી રહી છે. તાન્યાની વાપસી કરણ અને નંદિનીના સંબંધો માટે જોખમ સાબિત થશે. તે આવતાની સાથે જ બંને વચ્ચે એવી દીવાલ ઉભી કરી દેશે કે શાંતિનિકેતનની શાંતિ હણાઈ જશે. હવે જોવાનું એ રહેશે કે શું તુલસી પોતાના પુત્રના ઘરને તૂટતા બચાવી શકશે કે પછી શાંતિનિકેતનનું પતન નિશ્ચિત છે.

You Might Be Interested In
Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More